પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદર સહિત રાજયભરમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે તો બીજી તરફ દરિયા તોફાની બન્યો છે, તેવા સમયે પોરબંદરની ચોપાટી ખાતેના દરિયામા ચાર યુવાન નાહવા માટે ગયા હતા. તે દરમ્યાન એક યુવાનનુ ડુબી જવાથી મોત થતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે તેવા સમયે આજે શુક્રવારે બપોરના સમયે ચાર મિત્રો ચોપાટી ખાતેના દરિયામા નાહવા માટે ગયા હતા. તેમાં અશોક કાના ભોગેસરા નામના યુવાને દરિયાનુ તાકવર મોજુ પોતાની સાથે તાણી ગયો હતો અને તેમનુ ડુબી જવાથી મોત થયુ હતુ સાથે રહેલા અન્ય ત્રણ મિત્રોએ બચાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી અંત ત્રણેય યુવાનોએ જ પોતાના મિત્રનો મૃતદેહ બહાર કાઢયો હતો.
આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. આ બનાવની જાણ મૃતક યુવાનના પરિવારજનોને કરવામા આવી છે. થોડા દિવસો પૂર્વે કેટલાક મિત્રો આ જ સ્થળે નાહવા માટે ગયા હતા તે સમયે પણ એક યુવાનનુ મોત થયુ હતુ ફરી આ ઘટના બાદ દરિયામાં નાહવા પર પ્રતિબંધ મુકવા આવ્યો છે. તેમજ ચોપાટી ખાતે સાઇન બોર્ડ પણ મુકવામા આવ્યા છે. તેમ છતા લોકો દરિયામાં નાહવા માટે જતા હોવાથી આ પ્રકારની દુર્ધટના સર્જાઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya