નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). ભારતમાં કોરોનાનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. મંગળવાર સુધીમાં, દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4,000 ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેરળમાં એક, મહારાષ્ટ્રમાં બે, તમિલનાડુમાં એક અને પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિના કોરોનાથી મૃત્યુની પુષ્ટિ કરી છે.
મંગળવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4026 છે. સૌથી વધુ ચેપગ્રસ્ત લોકો કેરળમાં મળી આવ્યા છે. તેમની સંખ્યા 1416 છે. મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 494, ગુજરાતમાં 397 અને દિલ્હીમાં 393 છે. જોકે, છેલ્લા 24 કલાકમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં 90નો ઘટાડો થયો છે. ગુજરાતમાં લહેર વધી છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં 59 નો વધારો થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ