સંસદના ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક યોજાશે
નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). કેન્દ્ર સરકારે 21 જુલાઈથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા 20 જુલાઈ, રવિવારના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સત્રને સુચારુ રીતે ચલાવવા માટે બોલાવવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર, બંને ગૃહોના ફ્લોર લ
સંસદ ભવન


નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). કેન્દ્ર સરકારે 21 જુલાઈથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા 20 જુલાઈ, રવિવારના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સત્રને સુચારુ રીતે ચલાવવા માટે બોલાવવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર, બંને ગૃહોના ફ્લોર લીડરને સવારે 11 વાગ્યાથી સંસદ ગૃહ એનેક્સીના મુખ્ય સભા ખંડમાં આયોજિત સર્વપક્ષીય બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. આ બેઠકમાં, સરકાર આગામી ચોમાસુ સત્રનો એજન્ડા તમામ પક્ષો સમક્ષ રજૂ કરશે.

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી પ્રસ્તાવિત છે. તેમાં કુલ 21 બેઠકો યોજાશે. 12 થી 18 ઓગસ્ટ સુધી કોઈ બેઠક નહીં થાય. આમાં, સાત પેન્ડિંગ બિલોને વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આઠ બિલોને રજૂઆત, વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande