જમ્મુ અને કાશ્મીરના રામબનમાં પાંચ બસો અથડાઈ, 36 અમરનાથ યાત્રાળુઓ ઘાયલ
રામબન, નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ.). શનિવારે રામબન જિલ્લામાં પાંચ બસો અથડાતા, ઓછામાં ઓછા 36 અમરનાથ યાત્રાળુઓને થોડી ઇજાઓ થઈ હતી. આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહેલગામ બેઝ કેમ્પ જઈ રહેલા કાફલાનો ભાગ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત સ
અકસ્માત


રામબન, નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ.). શનિવારે રામબન જિલ્લામાં પાંચ બસો અથડાતા, ઓછામાં ઓછા 36 અમરનાથ યાત્રાળુઓને થોડી ઇજાઓ થઈ હતી. આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહેલગામ બેઝ કેમ્પ જઈ રહેલા કાફલાનો ભાગ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત સવારે 8 વાગ્યે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચંદ્રકોટ નજીક થયો હતો. તેમણે કહ્યું કે, કાફલામાંની એક બસની બ્રેક ફેઈલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. રામબનના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ અલ્યાસ ખાને જણાવ્યું હતું કે પહેલગામ કાફલાના છેલ્લા વાહને કાબુ ગુમાવ્યો અને ચંદ્રકોટ લંગર સ્થળ પર ફસાયેલા વાહનોને ટક્કર મારી, જેના કારણે ચાર વાહનોને નુકસાન થયું અને 36 મુસાફરોને થોડી ઇજાઓ થઈ. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પહેલાથી જ હાજર સરકારી અધિકારીઓએ ઘાયલોને રામબન જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા. ઘાયલોની સારવારનું નિરીક્ષણ કરવા માટે ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી અને મુખ્ય તબીબી અધિકારીને શ્રેષ્ઠ સંભાળ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે મુસાફરોને પછીથી આગળની મુસાફરી માટે અન્ય વાહનોમાં ખસેડવામાં આવ્યા.

રામબનના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સુદર્શન સિંહ કટોચે જણાવ્યું હતું કે, યાત્રાળુઓને પ્રાથમિક સારવાર બાદ તરત જ રજા આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત બસોને બદલ્યા પછી કાફલો તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થયો હતો.

આજે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી 6,979 યાત્રાળુઓનો ચોથો જથ્થો કાશ્મીર ખીણ માટે રવાના થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande