કડલુરમાં રેલ્વે ક્રોસિંગ અકસ્માત: ત્રણના મોત, દક્ષિણ રેલ્વેએ વાન ડ્રાઇવરને દોષી ઠેરવ્યો, ગેટમેનને બરતરફ કર્યો
ચેન્નાઈ, નવી દિલ્હી, 8 જુલાઈ (હિ.સ.). મંગળવારે તમિલનાડુના કડલુર જિલ્લામાં રેલ્વે ક્રોસિંગ પર વિલ્લુપુરમ-મયીલાદુથુરાઈ એક્સપ્રેસ ટ્રેન એક સ્કૂલ વાનને ટક્કર મારી હતી. જેમાં બે સ્કૂલના બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા હતા. દક્ષિણ રેલ્વેએ ઘટનાની તપાસ શરૂ કર
દક્ષિણ રેલવે


ચેન્નાઈ, નવી દિલ્હી, 8 જુલાઈ (હિ.સ.). મંગળવારે તમિલનાડુના કડલુર જિલ્લામાં રેલ્વે ક્રોસિંગ પર વિલ્લુપુરમ-મયીલાદુથુરાઈ એક્સપ્રેસ ટ્રેન એક સ્કૂલ વાનને ટક્કર મારી હતી. જેમાં બે સ્કૂલના બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા હતા. દક્ષિણ રેલ્વેએ ઘટનાની તપાસ શરૂ કરી હતી અને વાન ડ્રાઇવરને દોષી ઠેરવ્યો હતો. ડ્રાઈવરે સામેથી આવતી ટ્રેન હોવા છતાં ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે, રેલ્વે ક્રોસિંગના ગેટમેનને બરતરફ કરવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, અકસ્માતમાં છ વિદ્યાર્થીઓ અને વાન ડ્રાઇવર ઘાયલ થયા હતા, જેમને કડલુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા બે બાળકોની ઓળખ નિવાસ (12) અને ડી. ચારુમતી (16) તરીકે થઈ છે, જ્યારે અન્નાદુરાઈ નામના 55 વર્ષીય વ્યક્તિનું ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાથી મૃત્યુ થયું હતું.

તમિલનાડુના કડલુર જિલ્લામાં ટ્રેન અકસ્માતની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. દક્ષિણ રેલવેના જણાવ્યા અનુસાર, વાન ડ્રાઇવરે વારંવાર ગેટમેનને કહ્યું કે, તે ગેટ ક્રોસ કરવા માંગે છે પરંતુ ગેટમેનએ ગેટ બંધ કરવાનો પ્રયાસ કર્યો. ગેટમેન ગેટ બંધ કરે તે પહેલાં, વાન ડ્રાઇવરે ગેટ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અકસ્માત થયો.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આર.બી. ચૌધરી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande