થાઇલેન્ડ-કંબોડિયા સેનાઓએ બેઠક કરી, સરહદ પર શાંતિ જાળવવા સંમત થયા
બેંગકોક/ફ્નોમ પેન્હ, નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). થાઇલેન્ડ અને કંબોડિયાની સેનાઓના પ્રતિનિધિઓએ, શનિવારે થાઇલેન્ડના ત્રાટ પ્રાંતમાં થાઇલેન્ડ-કંબોડિયા પ્રાદેશિક સરહદ સમિતિ (આરબીસી) ની એક ખાસ બેઠક યોજી હતી. થાઇ નૌકાદળના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં થાઇ બા
થાઇલેન્ડ-કંબોડિયા સેનાઓએ બેઠક કરી, સરહદ પર શાંતિ જાળવવા સંમત થયા


બેંગકોક/ફ્નોમ પેન્હ, નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). થાઇલેન્ડ અને કંબોડિયાની સેનાઓના પ્રતિનિધિઓએ, શનિવારે થાઇલેન્ડના ત્રાટ પ્રાંતમાં થાઇલેન્ડ-કંબોડિયા પ્રાદેશિક સરહદ સમિતિ (આરબીસી) ની એક ખાસ બેઠક યોજી હતી.

થાઇ નૌકાદળના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં થાઇ બાજુના ચંથાબુરી અને ત્રાટ બોર્ડર ડિફેન્સ કમાન્ડના કમાન્ડરો અને કંબોડિયાના લશ્કરી ક્ષેત્ર-3 ના કમાન્ડર હાજર રહ્યા હતા. બંને પક્ષોએ પરસ્પર મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને સરહદી વિસ્તારોમાં લોકોની શાંતિ અને સુખાકારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક પછી એક સમજૂતી કરાર (એમઓયુ) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રાજ્યના અંડર-સેક્રેટરી અને કંબોડિયા સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ માલી સોચેતાએ જણાવ્યું હતું કે, આ ખાસ બેઠકમાં સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશોની સેનાઓ નિયમિત સંપર્ક જાળવી રાખશે.

તેમણે કહ્યું કે, બેઠકનો હેતુ સંઘર્ષ ટાળવાનો અને શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો છે. કંબોડિયાને આશા છે કે, આ બેઠક યુદ્ધવિરામ કરારના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણને પ્રોત્સાહન આપશે, જેનાથી સરહદી વિસ્તારોમાં શાંતિ, સ્થિરતા અને સામાન્યતા પુનઃસ્થાપિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande