'દક્ષિણ ભારત શબ્દ
હિન્દી સેવા સન્માન' માટે પ્રો.
પ્રભાશંકર પ્રેમીના નામની જાહેરાત
બેંગલુરુ, નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.)
હિન્દી લેખકોની પ્રસિદ્ધ સાહિત્યિક સંસ્થા 'શબ્દ'એ વર્ષ 2025 માટે 'અજ્ઞેય શબ્દ સૃજન સન્માન' અને 'દક્ષિણ ભારત શબ્દ હિન્દી સેવા સન્માન' માટે પસંદ
કરાયેલા નામોની જાહેરાત કરી છે. આ વર્ષનો ‘અજ્ઞેય શબ્દ સૃજન
સન્માન' હિન્દી કવયિત્રી
જેસિંતા કેરકેટ્ટાને આપવામાં આવશે અને હિન્દી ભાષાના સાહિત્યકાર એસ.એસ. પ્રોફેસર
પ્રભાશંકર પ્રેમી. આ પુરસ્કારો 28 ઓગસ્ટના રોજ એક સમારોહમાં આપવામાં આવશે.
સોમવારે, 'શબ્દ' સંસ્થાના પ્રમુખ ડૉ. શ્રીનારાયણ સમીરે એક નિવેદન જારી કરીને
જણાવ્યું હતું કે,” હિન્દી ભાષા અને સાહિત્યના વિદ્વાનોની પાંચ સભ્યોની મૂલ્યાંકન
સમિતિની ભલામણના આધારે, જ્યુરી દ્વારા આ પુરસ્કારો માટેના નામોની પસંદગી કરવામાં
આવી છે. આ જ્યુરીમાં બાબુલાલ ગુપ્તા, શ્રીકાંત પારાશર, નલિની પોપટ, ડૉ. ઉષારાણી રાવ અને ડૉ. શ્રીનારાયણ સમીરનો સમાવેશ હતો.”
ડો.સમીરે જણાવ્યું હતું કે,” આ વખતે 35 એન્ટ્રીઓ આવી હતી.”
મૂલ્યાંકન સમિતિની ભલામણના આધારે, જ્યુરીએ
સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે, આ વર્ષે હિન્દી કવયિત્રી જેસિંતા કેરકેટ્ટાને
તેમના કાવ્યસંગ્રહ 'પ્રેમ મેં પેડ
હોના' માટે એક લાખ
રૂપિયાનો 'અજ્ઞેય શબ્દ સૃજન
સન્માન' એનાયત કરવામાં
આવશે.” ડૉ. સમીરે જણાવ્યું હતું કે,” કર્ણાટકમાં ઉચ્ચ અને પુખ્ત શિક્ષણમાં હિન્દી
ભાષા અને સાહિત્યના પ્રચારમાં નોંધપાત્ર યોગદાન બદલ શિક્ષણવિદ પ્રોફેસર પ્રભાશંકર
પ્રેમીને રૂ. 25 હજારનો 'દક્ષિણ ભારત શબ્દ
હિન્દી સેવા સન્માન' આપવામાં આવશે.”
તેમણે જણાવ્યું હતું કે,” 28 ડિસેમ્બર, 2025 ના રોજ
બેંગલુરુમાં યોજાનાર સારસ્વત સમારોહમાં, પારંપરિક મૈસુર પેટા, સ્મૃતિચિહ્ન, શ્રીફળ અને
અંગવસ્ત્રમ આપીને બંનેનું સન્માન કરવામાં આવશે.” તેમણે માહિતી આપી હતી કે,” 'અજ્ઞેય શબ્દ સૃજન
સન્માન' બેંગલુરુના
પ્રખ્યાત સામાજિક કાર્યકર અને અજ્ઞેય સાહિત્યના નિષ્ણાત બાબુલાલ ગુપ્તાના
ફાઉન્ડેશનના સૌજન્યથી, આપવામાં આવે છે. તેવી જ રીતે, 'દક્ષિણ ભારત શબ્દ હિન્દી સેવા સન્માન' બેંગલુરુ અને
ચેન્નઈથી પ્રકાશિત થતા અગ્રણી હિન્દી અખબાર જૂથ 'દક્ષિણ ભારત રાષ્ટ્રમત'ના સૌજન્યથી
આપવામાં આવે છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ સક્સેના / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ