(અપડેટ) ચારધામ સહિત, હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત રહેશે
દહેરાદુન, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ઉત્તરાખંડમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ચારધામ યાત્રા સાથે, હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ સોમવારે જણાવ્યું હતુ
(અપડેટ) ચારધામ સહિત, હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત રહેશે


દહેરાદુન, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર

(હિ.સ.) ઉત્તરાખંડમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ચારધામ યાત્રા સાથે, હેમકુંડ

સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર સુધી

મુલતવી રાખી છે.

ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ સોમવારે જણાવ્યું હતું કે,”

ભારે વરસાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અથવા કાટમાળને કારણે માર્ગો

અવરોધિત થઈ રહ્યા છે. સરકાર પ્રાથમિકતાના આધારે તેમને ખોલવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ મુસાફરોની

સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 5 સપ્ટેમ્બર, 2025 સુધી મુલતવી

રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે મુસાફરોને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને

ધ્યાનમાં રાખીને હાલ પૂરતું યાત્રા માર્ગો પર ન જવા અને વહીવટીતંત્રની સલાહનું

પાલન કરવાની અપીલ કરી છે. હવામાન સામાન્ય થયા પછી અને માર્ગ સંપૂર્ણપણે સલામત

જણાયા પછી યાત્રાઓ ફરી શરૂ કરવામાં આવશે.”

કમિશનર પાંડેએ જણાવ્યું હતું કે,” રાજ્ય સરકાર અને સ્થાનિક

વહીવટીતંત્ર રસ્તા પર મુસાફરોની દેખરેખ, સફાઈ અને સલામતી માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે.

મુસાફરોને ધીરજ અને સંયમ જાળવવા અને મુસાફરી સંબંધિત અપડેટ માહિતી માટે વહીવટી

નિયંત્રણ ખંડના સંપર્કમાં રહેવા વિનંતી છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande