નેપાળે સોમવારથી સામાન્ય જનજીવન વચ્ચે, શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો
કાઠમંડુ, નવી દિલ્હી,14 સપ્ટેમ્બર (હિ.સ.) કાઠમંડુ મેટ્રોપોલિટન સિટી (કેએમસી) એ શિક્ષકો અને શાળા મેનેજમેન્ટને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે સોમવારથી શાળાઓમાં પાછા ફરવાનો નિર્દેશ આપ્યો છે. કેએમસીના શિક્ષણ વિભાગના પ્રમુખ કેશ
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી,14 સપ્ટેમ્બર

(હિ.સ.) કાઠમંડુ મેટ્રોપોલિટન સિટી (કેએમસી) એ શિક્ષકો અને શાળા મેનેજમેન્ટને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી

શરૂ કરવા માટે સોમવારથી શાળાઓમાં પાછા ફરવાનો નિર્દેશ આપ્યો છે.

કેએમસીના શિક્ષણ વિભાગના પ્રમુખ કેશવ ગ્યાવલીના જણાવ્યા

અનુસાર, “તાજેતરના

રાષ્ટ્રવ્યાપી અશાંતિને કારણે શાળાઓ બંધ થયા પછી આ નિર્દેશ આપવામાં આવ્યો છે.

શાળાઓને તેમના નુકસાનનું મૂલ્યાંકન કરવા અને વિદ્યાર્થીઓ માટે સલામત વાતાવરણ

સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.”

જાહેર સૂચનામાં, કેએમસીએ શાળાઓને કોઈપણ માળખાકીય નુકસાનનું નિરીક્ષણ કરવા, વિદ્યાર્થીઓની

સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે માતાપિતાનો સંપર્ક કરવા અને પરિસ્થિતિ સામાન્ય ન

થાય ત્યાં સુધી માતાપિતા બાળકો સાથે રહેવાની ખાતરી કરવા જણાવ્યું છે.

સોમવાર (15 સપ્ટેમ્બર) થી વર્ગો ફરી શરૂ થવાનું છે. નિયમિત પઠાણ

પાઠનની સાથે, વિદ્યાર્થીઓને

શાળાઓમાં પાછા લાવવામાં મદદ કરવા માટે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ આપવાનું પણ સૂચન

કરવામાં આવ્યું છે.

જે શાળાઓને નુકસાન થયું છે, તેમના શાળા વહીવટને પણ ઓનલાઈન

વર્ગો શરૂ કરવા કહેવામાં આવ્યું છે. નેપાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન, ફક્ત કાઠમંડુમાં

એક ડઝનથી વધુ શાળાઓમાં આગ લગાવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande