દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટી-2 ટર્મિનલ તૈયાર, 26 ઓક્ટોબરથી શરૂ થશે
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે, જેનાથી તેની કુલ વાર્ષિક મુસાફરોની ક્ષમતા 10 કરોડ થશે. આ વર્ષે એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરાયેલ આ ટર્મિનલ, સે
વિમાન


નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી

કાર્યરત થશે, જેનાથી તેની કુલ

વાર્ષિક મુસાફરોની ક્ષમતા 10 કરોડ થશે. આ

વર્ષે એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરાયેલ આ ટર્મિનલ, સેલ્ફ-બેગેજ

ડ્રોપ, આધુનિક છત અને

નવીન સ્કાયલાઇટ ડિઝાઇન જેવી મુસાફરો-મૈત્રીપૂર્ણ સુવિધાઓ સાથે ફરી ખુલશે.

નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીએઆઇ) માં ત્રણ ટર્મિનલ

છે - ટી-1, ટી-2 અને ટી-3. અહીંથી દરરોજ

લગભગ 1,400 ફ્લાઇટ્સનું

સંચાલન થાય છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ) એ સોમવારે

જણાવ્યું હતું કે,” આઈજીઆઈ એરપોર્ટનું ટર્મિનલ-2 અપગ્રેડ થયેલ છે અને 26 ઓક્ટોબરથી શરૂ

થવા માટે તૈયાર છે.” ડાયલ અનુસાર,” 25-26 ઓક્ટોબરની મધ્યરાત્રિથી એર ઇન્ડિયા અને

ઇન્ડિગોની લગભગ 120 દૈનિક સ્થાનિક

ફ્લાઇટ્સ અપગ્રેડેડ ટર્મિનલ-2 પર ખસેડવામાં આવશે.”

ડાયલે જણાવ્યું હતું કે,” તેમાં

ઓટોમેટિક ડોકિંગ ટેકનોલોજી સાથે છ નવા પેસેન્જર બોર્ડિંગ બ્રિજ પણ હશે, જે દેશમાં આ

પ્રકારનો પ્રથમ બ્રિજ હશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) એ 40 વર્ષ પહેલાં

અહીં ટર્મિનલ-2 બનાવ્યું હતું, જે આ વર્ષે

એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરવામાં આવ્યું હતું.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande