નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી
કાર્યરત થશે, જેનાથી તેની કુલ
વાર્ષિક મુસાફરોની ક્ષમતા 10 કરોડ થશે. આ
વર્ષે એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરાયેલ આ ટર્મિનલ, સેલ્ફ-બેગેજ
ડ્રોપ, આધુનિક છત અને
નવીન સ્કાયલાઇટ ડિઝાઇન જેવી મુસાફરો-મૈત્રીપૂર્ણ સુવિધાઓ સાથે ફરી ખુલશે.
નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીએઆઇ) માં ત્રણ ટર્મિનલ
છે - ટી-1, ટી-2 અને ટી-3. અહીંથી દરરોજ
લગભગ 1,400 ફ્લાઇટ્સનું
સંચાલન થાય છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ) એ સોમવારે
જણાવ્યું હતું કે,” આઈજીઆઈ એરપોર્ટનું ટર્મિનલ-2 અપગ્રેડ થયેલ છે અને 26 ઓક્ટોબરથી શરૂ
થવા માટે તૈયાર છે.” ડાયલ અનુસાર,” 25-26 ઓક્ટોબરની મધ્યરાત્રિથી એર ઇન્ડિયા અને
ઇન્ડિગોની લગભગ 120 દૈનિક સ્થાનિક
ફ્લાઇટ્સ અપગ્રેડેડ ટર્મિનલ-2 પર ખસેડવામાં આવશે.”
ડાયલે જણાવ્યું હતું કે,” તેમાં
ઓટોમેટિક ડોકિંગ ટેકનોલોજી સાથે છ નવા પેસેન્જર બોર્ડિંગ બ્રિજ પણ હશે, જે દેશમાં આ
પ્રકારનો પ્રથમ બ્રિજ હશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) એ 40 વર્ષ પહેલાં
અહીં ટર્મિનલ-2 બનાવ્યું હતું, જે આ વર્ષે
એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરવામાં આવ્યું હતું.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ