દેહરાદૂન, નવી દિલ્હી,15 સપ્ટેમ્બર
(હિ.સ.) મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ ઉત્તરાખંડમાં ચાર દિવસનો
રોકાણ પૂર્ણ કરીને આજે સ્વદેશ પરત ફર્યા છે. ઉત્તરાખંડ છોડતા પહેલા, મુખ્યમંત્રી
પુષ્કર સિંહ ધામીએ જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર તેમને મળ્યા અને તેમને વિદાય આપી. આ
પ્રસંગે, મુખ્યમંત્રી
ધામીએ તેમને ચારધામનો પવિત્ર પ્રસાદ અને રાજ્યની છત્રી બ્રાન્ડ 'હાઉસ ઓફ હિમાલય' ના ઉત્પાદનો
સંભારણું તરીકે અર્પણ કર્યા.
આ પ્રસંગે, મોરેશિયસના વડાપ્રધાન ડૉ. રામગુલામે ઉત્તરાખંડની આતિથ્ય
પરંપરાની પ્રશંસા કરતા કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ધ્વજ લહેરાવી રહ્યો છે.” મુખ્યમંત્રી
ધામીએ કહ્યું કે,” મોરેશિયસના વડાપ્રધાનની આ મુલાકાત ચોક્કસપણે ભારત અને મોરેશિયસ
વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવશે.”
હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ