જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી ૩,૦૮,૪૯૨ બાળકને કૃમિનાશક ગોળી આપવામાં આવી
ગીર સોમનાથ, 15 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પી. એન. બરુઆના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો તથા શાળાઓમાં કૃમિનાશક
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની


ગીર સોમનાથ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પી. એન. બરુઆના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો તથા શાળાઓમાં કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉજવણી અંતર્ગત જિલ્લાના ૩,૦૮,૪૯૨ બાળકને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી.

આ સાથે જ બાળકો, માતાપિતા અને શિક્ષકોને કૃમિનાશક દવા લેવાના ફાયદા તેમજ આરોગ્ય જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ સ્ટાફ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande