સૂત્રાપાડા નગરપાલિકા ખાતે ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઈ
ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે સૂત્રાપાડા નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકાના અંદાજીત ૭૦ કર્મચારીઓ-અધિકારીઓ માટે અને ફાયર, ૧૦૮-૧૧૨ ઈમરજન્સ
નગરપાલિકા ખાતે


ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે સૂત્રાપાડા નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકાના અંદાજીત ૭૦ કર્મચારીઓ-અધિકારીઓ માટે અને ફાયર, ૧૦૮-૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.

સૂત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિક એચ.વૈંશના અધ્યક્ષસ્થાને ડૉ.ભરત બારડ શૈક્ષણિક સંકૂલ ખાતે ફાયર સેફ્ટી, ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઈડ જેવી મહત્વની તાલીમ નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી હતી.

રિજિયોનલ ફાયર કચેરીના સુનિલભાઇ ચુડાસમા અને તેમની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપી. હરેશભાઈ વાંઝા અને તેમની ટીમ દ્વારા ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ વિશે વિસ્તૃત સમજ આપી અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં રાખવામાં આવતા વિવિધ સાધનો અંગે નિદર્શન યોજવામાં આવ્યું.

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના ટ્રેનર યતિન્દ્રભાઈ શીલુની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ (CPR) વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યો હતો. ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે ૨૦ વર્ષ પૂરા થઈ ચુક્યા છે. જેના ઉપક્રમે ગુજરાત સરકાર, વર્ષ ૨૦૨૫ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, ત્યારે શહેરી વિસ્તારોને વધુ સુખ-સુવિધા સભર બને તેમજ નાગરિકો ‘Earning Well, Living Well’ નો ધ્યેય સાકાર કરી શકે તે માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત ૨.૦ યોજના, ૧૫મું નાણાપંચ ઉપરાંત આઇકોનિક રોડ અને સ્વચ્છતા અને અન્ય બાબતો માટે ગત વર્ષ કરતા ૪૦% વધુ બજેટ ફાળવવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande