પ્રધાનમંત્રી મોદી હાલમાં કલકતામાં છે, જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
કલકતા,નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે બે દિવસના પ્રવાસે કલકતા પહોંચ્યા. તેઓ સોમવારે ફોર્ટ વિલિયમ ખાતે આયોજિત જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કરશે. ભારતીય સશસ્ત્ર દળો
નમો


કલકતા,નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર

(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે બે દિવસના પ્રવાસે કલકતા

પહોંચ્યા. તેઓ સોમવારે ફોર્ટ વિલિયમ ખાતે આયોજિત જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન

કરશે.

ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત આ કોન્ફરન્સની થીમ છે - 'સુધારણાનું વર્ષ:

ભવિષ્ય માટે પરિવર્તન'. પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદી પણ, આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે હાજર રહેશે. જોઈન્ટ કમાન્ડર્સ

કોન્ફરન્સને સશસ્ત્ર દળોનું સર્વોચ્ચ ચર્ચા મંચ માનવામાં આવે છે. અહીં દેશના ટોચના

લશ્કરી અને નાગરિક નેતૃત્વ વ્યૂહાત્મક અને વૈચારિક સ્તરે સાથે બેસીને ચર્ચા કરે

છે.

કલકતા એરપોર્ટથી, પ્રધાનમંત્રીનો કાફલો સીધો રાજભવન પહોંચ્યો, જ્યાં તેમણે

રાત્રિ રોકાણ કર્યું. જોકે આ મુલાકાત સંપૂર્ણપણે સત્તાવાર છે અને કોઈપણ રાજકીય

કાર્યક્રમનો ભાગ નથી, તેમ છતાં ભાજપના

કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ હતો. રવિવારે રાત્રે એરપોર્ટ પર તેમનું ઢોલ-

નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદી અગાઉ 22 ઓગસ્ટે કલકતાની મુલાકાતે આવ્યા હતા. તે સમયે

તેમણે કલકતા મેટ્રો રેલની ત્રણ નવી લાઇનના લોકાર્પણ સહિત અનેક વિકાસ

પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે રાજ્યમાં ચૂંટણીના વાતાવરણ વચ્ચે એક રાજકીય રેલીને પણ

સંબોધિત કરી હતી. સોમવારે સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપ્યા બાદ, પ્રધાનમંત્રી

મોદી બિહાર જવા રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande