શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રો સ્થાપવા માટેની માર્ગદર્શિકા, આવતીકાલે જાહેર કરવામાં આવશે
નવી દિલ્હી, ૦2 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની પહેલ પર શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રો સ્થાપવા માટેની માર્ગદર્શિકા બુધવારે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન જાહેર
સહાય


નવી દિલ્હી, ૦2 સપ્ટેમ્બર

(હિ.સ.) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને શાળા શિક્ષણ અને સાક્ષરતા

વિભાગની પહેલ પર શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રો સ્થાપવા માટેની માર્ગદર્શિકા

બુધવારે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી

અન્નપૂર્ણા દેવી પણ આ પ્રસંગે હાજર રહેશે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”આ પહેલ રાષ્ટ્રીય

શિક્ષણ નીતિ-2020 ના વિઝન પર

આધારિત છે, જે બાળપણની સંભાળ

અને શિક્ષણને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રોથી ધોરણ-1 માં બાળકોનો સરળ

પ્રવેશ સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, આ યોજનાનો ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રો અને શાળાઓ વચ્ચે

મજબૂત જોડાણો સ્થાપિત કરવાનો છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના વરિષ્ઠ

અધિકારીઓ, રાજ્યો અને

કેન્દ્રશાસિત પ્રદેશોના બંને વિભાગોના પ્રતિનિધિઓ અને આંગણવાડી કાર્યકરો પણ આ

કાર્યક્રમમાં હાજર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande