પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના મિંયાણી ગામે રહેતા એક પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો મિંયાણી ગામે રહેતા મોહનભાઈ માવજીભાઈ પરમાર (ઉ.વ.55)નામના પ્રૌઢ છેલ્લા દશ વર્ષથી માનસીક બિમારીથી પીડાતા હોય અને તેમની દવા પણ ચાલી રહી હતી.
આ બિમારી કંટાળી મોહનભાઈ ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે મિંયાણી મરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya