નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આજે બિહારની મુલાકાત દરમિયાન અરરિયાના ફારબીસગંજમાં સહરસા, પૂર્ણિયા અને ભાગલપુર ભાજપ મંડળ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે. ભાજપની એક પોસ્ટ અનુસાર, શાહનું સંબોધન બપોરે 2 વાગ્યે શરૂ થશે.
બિહાર ભાજપના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શાહ ફારબીસગંજ એરફિલ્ડ પર નવ જિલ્લાના આશરે 5,000 કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. તેઓ બપોરે 1 વાગ્યાની આસપાસ કાર્યક્રમ સ્થળ પર પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને એરપોર્ટની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના નેતાઓએ શુક્રવારે દિવસભરની તૈયારીઓની સમીક્ષા કરી. નવ જિલ્લાના કાર્યકરો આ કાર્યક્રમમાં ભાગ લેશે: અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, ભાગલપુર, મધેપુરા, સુપૌલ, સહરસા, બાંકા અને નવગછિયા આમાં સામેલ છે. જિલ્લા પ્રમુખ આદિત્ય નારાયણ ઝાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ