વિશ્વ પ્રવાસન દિવસ પર આર્થિક વિકાસ અને પર્યટનમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.): પર્યટન મંત્રાલયે, શનિવારે વિશ્વ પર્યટન દિવસ પર પર્યટન અને ટકાઉ પરિવર્તન પર એક પરિસંવાદનું આયોજન કર્યું હતું. સુષ્મા સ્વરાજ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ, શિક્ષણવિદો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓને એકઠા કરવામાં
પર્યટન દિવસ પર રીપોર્ટ જાહેર કરતા, પર્યટન રાજ્યમંત્રી સુરેશ ગોપી


નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.): પર્યટન મંત્રાલયે, શનિવારે વિશ્વ પર્યટન દિવસ પર પર્યટન અને ટકાઉ પરિવર્તન પર એક પરિસંવાદનું આયોજન કર્યું હતું. સુષ્મા સ્વરાજ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ, શિક્ષણવિદો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓને એકઠા કરવામાં આવ્યા હતા અને પર્યટનમાં સાંસ્કૃતિક આદાનપ્રદાન, આર્થિક વિકાસ અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રહેલા નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પર્યટન માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ આર્થિક પરિવર્તન, પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિક સમાવેશ માટે એક શક્તિશાળી સાધન છે. ભારતના પર્યટન ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ રહેલી છે, જો તે ટકાઉ વિકાસ વ્યૂહરચનાઓનો મુખ્ય આધારસ્તંભ બને. સુધારેલ કનેક્ટિવિટી (માર્ગ, રેલ, હવાઈ અને જળમાર્ગો) અને જાહેર-ખાનગી ભાગીદારી આવશ્યક છે.

આ પ્રસંગે હાજર રહેલા પર્યટન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, સ્વદેશ દર્શન 2.0 અને પ્રસાદ યોજના જેવા કાર્યક્રમો ટકાઉ અને ગ્રામીણ પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યા છે.

એરપોર્ટ, હાઇવે, રેલ્વે અને જળમાર્ગોમાં રોકાણ મુસાફરોને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરી રહ્યું છે.

ઉડાન યોજનાઓ અને છેલ્લા માઇલ કનેક્ટિવિટી પ્રવાસન સ્થળો સુધી પહોંચવાની સુવિધા આપી રહી છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રાલયે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. સિનેમેટિક કથાઓ દ્વારા વૈશ્વિક સ્તરે ભારતીય સ્થળોને પ્રોત્સાહન આપવા માટે નેફિલ્ક્સ સાથે સહયોગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

સંશોધન, નવીનતા અને ડેટા-આધારિત નીતિનિર્માણ માટે અતિથિ ફાઉન્ડેશન અને અગ્રણી ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓ સાથે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. 66મું ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ કમ્પેન્ડિયમ બહાર પાડવામાં આવ્યું, જેમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક આગમન, રોજગાર સર્જન અને આર્થિક યોગદાનમાં રેકોર્ડ વૃદ્ધિનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે, હોમસ્ટે માટે મુદ્રા લોન માર્ગદર્શિકા પુસ્તિકા બહાર પાડવામાં આવી, જેમાં જનસમર્થ પોર્ટલ દ્વારા લોન અરજીઓ પર પગલું-દર-પગલાની માહિતી પ્રદાન કરવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande