જર્મન વિદેશ મંત્રી વેડફુલ આજે, નવી દિલ્હીમાં એસ જયશંકર અને પીયૂષ ગોયલને મળશે
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતની મુલાકાતે આવેલા જર્મન વિદેશ મંત્રી જોહાન ડેવિડ વેડફુલ બુધવારે, નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને મળશે. આ પહેલા, મંગળવારે ભારતની મુલાકાતે
જર્મન વિદેશ મંત્રી વેડફુલ આજે, નવી દિલ્હીમાં એસ જયશંકર અને પીયૂષ ગોયલને મળશે


નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર

(હિ.સ.) ભારતની મુલાકાતે આવેલા જર્મન વિદેશ મંત્રી જોહાન ડેવિડ વેડફુલ બુધવારે,

નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને મળશે. આ

પહેલા, મંગળવારે ભારતની

મુલાકાતે આવેલા વેડફુલ બેંગલુરુ પહોંચ્યા હતા અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન

(ઇસરો)ની મુલાકાત લીધી હતી.

આ અંગે, વિદેશ મંત્રાલયે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે,” જર્મન

વિદેશ મંત્રી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. તેઓ કેન્દ્રીય વાણિજ્ય અને

ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને મળવાના છે. આ પછી વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત

થશે. આ પછી તેઓ જર્મની જવા રવાના થશે.”

વિદેશ મંત્રાલયે કહ્યું કે,” તેમની ભાગીદારી ભારત-જર્મની

વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં મદદ કરશે, જે તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી

રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande