જીએસટી સુધારાઓથી સરકારને રૂ. 3,700 કરોડનું મહેસૂલ નુકસાન થશે: એસબીઆઈ
નવી દિલ્હી, 05 સપ્ટેમ્બર (HS). સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ, તેના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દરોમાં ઘટાડા દ્વારા જીએસટી સુધારાઓથી ઓછામાં ઓછું રૂ. 3,700 કરોડનું મહેસૂલ નુકસાન થશે. બીજી તરફ, કેન્દ્ર સ
જીએસટી લોગો


નવી દિલ્હી, 05 સપ્ટેમ્બર (HS). સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ, તેના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દરોમાં ઘટાડા દ્વારા જીએસટી સુધારાઓથી ઓછામાં ઓછું રૂ. 3,700 કરોડનું મહેસૂલ નુકસાન થશે. બીજી તરફ, કેન્દ્ર સરકારનો અંદાજ છે કે, જીએસટી દરોને તર્કસંગત બનાવવાની ચોખ્ખી રાજકોષીય અસર વાર્ષિક ધોરણે રૂ. 48 હજાર કરોડ થશે.

સ્ટેટ બેંકે શુક્રવારે જાહેર કરેલા તેના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે, વૃદ્ધિ અને વપરાશમાં વધારાને ધ્યાનમાં રાખીને, લઘુત્તમ રાજકોષીય નુકસાન રૂ. 3,700 કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે તેની રાજકોષીય ખાધ પર કોઈ અસર થશે નહીં. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખર્ચ કાર્યક્ષમતામાં અર્થપૂર્ણ સુધારાને કારણે જીએસટી દરને તર્કસંગત બનાવવાથી બેંકિંગ ક્ષેત્ર પર મોટાભાગે હકારાત્મક અસર પડશે. આનાથી અસરકારક ભારિત સરેરાશ દર પણ 2017 માં તેના અમલીકરણ સમયે 14.4 ટકાથી ઘટીને 9.5 ટકા થયો છે. રિપોર્ટ અનુસાર, આવશ્યક ચીજવસ્તુઓ (લગભગ 295) ના જીએસટી દરનું તર્કસંગતકરણ 12 ટકાથી ઘટીને પાંચ ટકા અથવા શૂન્ય થઈ ગયું હોવાથી, આ શ્રેણીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઈ) પર આધારિત ફુગાવાનો દર પણ ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં 0.25 ટકા ઘટીને 0.30 ટકા થઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં સીપીઆઈ-આધારિત ફુગાવો 0.65 ટકાથી 0.75 ટકા વચ્ચે નિયંત્રિત રહી શકે છે.

આ અઠવાડિયે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં, જીએસટી ના હાલના ચાર-સ્તરીય માળખાને બે-સ્તરીય માળખામાં બદલી દેવામાં આવ્યો છે. જીએસટી ના નવા સ્લેબમાં હવે 18 ટકા અને પાંચ ટકા અને કેટલાક પસંદગીના માલ અને સેવાઓ પર 40 ટકા દરનો સમાવેશ થાય છે. નવા દર 22 સપ્ટેમ્બર, નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande