
ગીર સોમનાથ 18 જાન્યુઆરી (હિ.સ.) તાલાલા શહેરમાં સંત રણછોડદાસ બાપુ આઈ હોસ્પિટલ-રાજકોટ દ્વારા સ્વ.નેહાબેન કૌશલભાઈ રાયચુરા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો હતો જેનો ૨૨૫ લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો. મકરસંક્રાંતિ નાં પાવન પર્વે તાલાલા લોહાણા મહાજન વાડીમાં સમુહ આરતી અને રાષ્ટ્રગાન સાથે યોજાયેલ સેવા યજ્ઞમાં આંખના ૨૨૫ લાભાર્થીઓએ લાભ લીધો હતો જે પૈકી ૮૦ દર્દીઓને ઓપરેશન ની જરૂર હોય ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.આ ઉપરાંત દર્દીઓને જરૂરી આરોગ્ય તપાસણી કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી.આયોજક દ્વારા સેવાયજ્ઞનાં લાભાર્થીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ જેનો લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો.એ સુંદર કેમ્પના આયોજનથી દર્દીઓએ ખુબ જ રાહત અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ