ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઉદ્યોગે, ઓટો પીએલઆઈ યોજના અંગે પ્રશ્નો ઉભા કર્યા
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.). ભારતની ડીપ-ટેક કંપનીઓના ઇલેક્ટ્રિક વાહન (ઈવી) સ્ટાર્ટઅપ્સે, ભારે ઉદ્યોગ મંત્રાલયને બજેટમાં ફાળવવામાં આવેલા ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ યોજના) ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કરવાની માંગ કરી છે. ઈવી સ્ટાર્ટઅપ્સનું
સાંકેતિક


નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.). ભારતની ડીપ-ટેક કંપનીઓના ઇલેક્ટ્રિક વાહન (ઈવી) સ્ટાર્ટઅપ્સે, ભારે ઉદ્યોગ મંત્રાલયને બજેટમાં ફાળવવામાં આવેલા ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ યોજના) ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કરવાની માંગ કરી છે. ઈવી સ્ટાર્ટઅપ્સનું કહેવું છે કે, ગયા વર્ષે જાહેર કરાયેલા પીએલઆઈ યોજના ભંડોળનો માત્ર 10 ટકા જ વાસ્તવમાં ઉપયોગ થયો હતો, અને તે પણ, ફક્ત થોડા ચોક્કસ ઉદ્યોગોને જ ફાયદો થયો હતો. પરિણામે, ઉત્પાદન પ્રોત્સાહનો ઓછા ભંડોળમાં રાખવામાં આવ્યા છે. 2026-27 ના બજેટમાં પીએલઆઈ યોજના માટે ₹5,939 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઈવી સ્ટાર્ટઅપ્સનું કહેવું છે કે, જો આ ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો તે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અને સંબંધિત ઉદ્યોગોમાં નોંધપાત્ર તેજી તરફ દોરી શકે છે.

2026 માટેના પ્રારંભિક અહેવાલો અનુસાર, ઈવી સ્ટાર્ટઅપ્સ માટે પીએલઆઈ યોજના હેઠળ ભંડોળનો ઉપયોગ ખૂબ ઓછો હતો. અંદાજ મુજબ, ફાળવેલ ભંડોળના માત્ર 10 ટકા જ ફાળવવામાં આવ્યા હતા, અને તે અંતર્ગત, એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (એસીસી) બેટરી ક્ષેત્રમાં લક્ષ્ય પ્રોત્સાહનોના માત્ર 2.8 ટકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બજેટમાં વધારો થવા છતાં, નાણાકીય વર્ષ 2026 ના અંત સુધીમાં પીએલઆઈ યોજના ભંડોળના માત્ર 12 ટકાનો ઉપયોગ કરવામાં આવશે. ઈવી સ્ટાર્ટઅપ્સ કહે છે કે, ફક્ત ફાળવણી વધારવાથી ઉદ્યોગને વેગ મળશે નહીં. જ્યાં સુધી ભંડોળનો નોંધપાત્ર ભાગ ઈવી સ્ટાર્ટઅપ્સ સુધી ન પહોંચે ત્યાં સુધી, ભારતીય કંપનીઓ સ્પર્ધા કરી શકશે નહીં. હાલમાં, ફક્ત થોડા સ્થાપિત ખેલાડીઓને જ ફાયદો થઈ રહ્યો છે.

યુલર મોટર્સના સ્થાપક અને સીઈઓ સૌરભ કુમાર કહે છે કે, વાણિજ્યિક ઈવી સૌથી વધુ વળતર આપે છે. છતાં, પીએલઆઈ ક્ષેત્રને પૂરતું પ્રોત્સાહન મળી રહ્યું નથી. મોટા પરંપરાગત ઓઈએમ હજુ પણ પ્રાથમિકતા ધરાવે છે. આ ક્ષેત્રમાં રોજગાર સર્જનને વેગ આપવા માટે, પીએલઆઈ માળખામાં ફેરફાર કરવો જરૂરી છે. ટર્નઓવર-આધારિત માપદંડોને વાસ્તવિક ઈવી વેચાણ ડેટા પર ખસેડવા જોઈએ.

રિવર મોબિલિટીના સહ-સ્થાપક અને સીઈઓ રવિંદ મણિ કહે છે કે, દેશના ઇલેક્ટ્રિક વાહન (ઈવી) ઉદ્યોગનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની અંદર ટકાઉ ક્ષમતાનું નિર્માણ કરવાનો છે. ભારતે ઈવી ઉદ્યોગ માટે વૈશ્વિક કેન્દ્ર બનવા માંગતા નવીનતાઓને ટેકો આપવો જોઈએ. તો જ ભારત એક સાચુ ઈવી ઉત્પાદન કેન્દ્ર બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande