તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ, મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી (હિ.સ.) ઇઝરાયલી હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે, ટાટાની આગેવાની હેઠળની એરલાઇન્સ એર ઇન્ડિયાએ શનિવારે તેની નવી દિલ્હી-તેલ અવીવ ફ્લાઇટ મુંબઈ તરફ ડાયવર્ટ કરી. ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ, કેટલાક હવાઈ ક્
તેલ અવિવ


નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી (હિ.સ.) ઇઝરાયલી હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે,

ટાટાની આગેવાની હેઠળની એરલાઇન્સ એર ઇન્ડિયાએ શનિવારે તેની નવી દિલ્હી-તેલ અવીવ

ફ્લાઇટ મુંબઈ તરફ ડાયવર્ટ કરી. ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ, કેટલાક હવાઈ

ક્ષેત્ર બંધ કરવામાં આવ્યા છે.

એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીએ નવી

દિલ્હીથી તેલ અવીવ જતી ફ્લાઇટ એઆઇ-139, ઇઝરાયલી હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અને

મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી માટે ભારત પરત ફરી રહી છે. એર ઇન્ડિયાની

ફ્લાઇટ નવી દિલ્હીથી તેલ અવીવ જતી હતી. વધતા પ્રાદેશિક તણાવને ટાંકીને, એર ઇન્ડિયાએ 1 માર્ચથી શરૂ થતા,

એક અઠવાડિયા માટે ઇઝરાયલ જતી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.

એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું હતું કે,” ફ્લાઇટ એઆઇ-139 ને મુંબઈ તરફ

ડાયવર્ટ કરવામાં આવી છે.” કંપનીએ જણાવ્યું હતું કે, અમે અમારા ફ્લાઇટ ઓપરેશન્સ માટે સલામતી અને

સુરક્ષા વાતાવરણનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીશું અને જરૂર મુજબ ઓપરેશન્સને

સમાયોજિત કરીશું.

એરલાઇને આ અચાનક પરિસ્થિતિને કારણે, મુસાફરોને થયેલી

અસુવિધા બદલ માફી પણ માંગી હતી. ઉચ્ચતમ સલામતી ધોરણો જાળવવાની પ્રતિબદ્ધતાનો

પુનરાવર્તિત કરતા, કંપનીએ જણાવ્યું

હતું કે,” તે પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન કરી રહી છે અને જરૂર મુજબ ફ્લાઇટ્સ ફરીથી

શેડ્યૂલ કરશે.”

દરમિયાન, ઇન્ડિગો એરલાઇન્સે એક્સ-પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે,” તે ઈરાન અને તેના હવાઈ

ક્ષેત્ર સંબંધિત પ્રાદેશિક અપડેટ્સ પર નજીકથી નજર રાખી રહી છે. અમારા ગ્રાહકો અને

ક્રૂની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. પરિસ્થિતિ બદલાય તેમ અમારી ટીમો કોઈપણ

જરૂરી ફેરફારો કરવા માટે તૈયાર છે.”

એરલાઇને ઉમેર્યું હતું કે,” ગ્રાહકોને પ્રસ્થાન પહેલાં

તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ અસરના કિસ્સામાં, અપડેટ્સ

તાત્કાલિક નોંધાયેલ સંપર્ક વિગતો દ્વારા જણાવવામાં આવશે. અમે તમને જાણ કરીશું અને

આ સમય દરમિયાન અમારો અવિશ્વસનીય ટેકો પૂરો પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ

રહીશું.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande