
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને
કાલે ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ અને
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ ₹23,000 કરોડથી વધુના
વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. એક સત્તાવાર પ્રકાશન અનુસાર, આ મુલાકાતના
મુખ્ય મુદ્દાઓમાં દેશની પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન સુવિધા અને છોકરીઓ
માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનનો સમાવેશ થશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેના
ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમયપત્રક પણ શેર કર્યું છે.
એક સત્તાવાર પ્રકાશન અનુસાર, પ્રધાનમંત્રી મોદી 28 ફેબ્રુઆરીએ
સવારે 11:30 વાગ્યે
રાજસ્થાનના અજમેરમાં ₹16,680 કરોડના
પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ 14 અને તેથી વધુ ઉંમરની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સરને રોકવા
માટે રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાન શરૂ કરશે. તેઓ સરકારી વિભાગોમાં નવા ભરતી
થયેલા 21,800 યુવાનોને નિમણૂક
પત્રો પણ સોંપશે. આ સમય દરમિયાન, તેઓ દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે અને અમૃતસર-જામનગર આર્થિક
કોરિડોર સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
આ પછી, બપોરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી મોદી ગુજરાતના સાણંદમાં માઇક્રોન ટેકનોલોજીની
સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને
પેકેજિંગ (એટીએમપી) સુવિધાનું
ઉદ્ઘાટન કરશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન (આઈએસએમ) હેઠળ મંજૂર
કરાયેલ આ પહેલો પ્રોજેક્ટ છે. પ્રથમ સ્વદેશી રીતે ઉત્પાદિત સેમિકન્ડક્ટર મેમરી
મોડ્યુલ્સનું વાણિજ્યિક ઉત્પાદન અને શિપમેન્ટ અહીં શરૂ થશે. ₹22,500 કરોડથી વધુના
રોકાણ સાથેની આ ફેક્ટરીમાં વિશ્વનો સૌથી મોટો ક્લીનરૂમ વિસ્તાર છે.
પ્રધાનમંત્રી મોદી શનિવારે રાત્રે 9:00 વાગ્યે
તમિલનાડુના ચેન્નઈ પહોંચશે અને બીજા દિવસે દક્ષિણ ભારતમાં વિકાસના પ્રયાસોને વેગ
આપશે. તેઓ 01 માર્ચના રોજ સવારે 11:45 વાગ્યે પુડુચેરીમાં ₹2,7૦૦ કરોડ સુધીના
વિવિધ માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને
આરોગ્યસંભાળ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મદુરાઈમાં, તેઓ ₹4,4૦૦ કરોડ સુધીના
માળખાગત સુવિધાઓ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે.
આ જ સમયગાળા દરમિયાન, પ્રધાનમંત્રી એનએચ-૩32-એના મરક્કનમ-પોંડીચેરી સેક્શન અને એનએચ-87 ના
પરમાકુડી-રામનાથપુરમ સેક્શનના ચાર-લેનિંગ માટે શિલાન્યાસ કરશે. તેઓ તમિલનાડુમાં આઠ
પુનર્વિકસિત રેલ્વે સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે 4 વાગ્યે, પ્રધાનમંત્રી
મદુરાઈના પ્રખ્યાત અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિર (તિરુપ્પરંકુન્દ્રમ) ખાતે
પ્રાર્થના કરશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ