પ્રધાનમંત્રી મોદી, આજે પશ્ચિમ એશિયાના સંકટ પર મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે
નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે પશ્ચિમ એશિયાના સંકટથી ઉદ્ભવતી પરિસ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યો (પાંચ ચૂંટણીવાળા રાજ્યો સિવાય) ના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેઓ તેમની તૈયારીઓ અને યુદ્ધની સંભવિત પ્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે પશ્ચિમ એશિયાના સંકટથી ઉદ્ભવતી પરિસ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યો (પાંચ ચૂંટણીવાળા રાજ્યો સિવાય) ના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેઓ તેમની તૈયારીઓ અને યુદ્ધની સંભવિત પ્રતિકૂળ અસરોથી જનતાને કેવી રીતે બચાવવા તે અંગે ચર્ચા કરશે.

આજ સાંજની બેઠક મહત્વપૂર્ણ છે, કારણ કે ગલ્ફ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી મુખ્યમંત્રીઓ સાથેની તેમની પહેલી મુલાકાત હશે. કેબિનેટ સચિવાલય તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીના ચૂંટણીવાળા રાજ્યોના મુખ્ય સચિવો સાથે અલગ-અલગ બેઠકો કરશે.

આ પહેલનો હેતુ ટીમ ઇન્ડિયા ની ભાવનાથી પ્રેરિત થઈને સરકારના પ્રયાસોનું સંકલન સુનિશ્ચિત કરવાનો છે. પ્રધાનમંત્રી મોદી, ઈરાન સંઘર્ષથી ઉદ્ભવતા સંકટમાં સક્રિય રીતે જોડાયેલા છે. સોમવારે, તેમણે લોકસભાના સભ્યોને આ સંદર્ભમાં લેવામાં આવી રહેલા પગલાં વિશે માહિતી આપી. મંગળવારે, તેમણે આ બાબતે રાજ્યસભાને સંબોધન કર્યું. બુધવારે એક સર્વપક્ષીય બેઠકમાં, તેમના વરિષ્ઠ મંત્રીઓએ તમામ વિપક્ષી પક્ષોના પ્રશ્નોના જવાબ આપ્યા. તેલ અને ગેસ પુરવઠાના સંચાલનમાં રાજ્યો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી વડા પ્રધાન મોદી હવે આ બાબતે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.

વડા પ્રધાને અગાઉ કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં કટોકટીના સમયગાળાની આસપાસ અનિશ્ચિતતાના વાદળ છવાયેલા છે. આ સંદર્ભમાં, કેન્દ્ર સરકાર યુદ્ધની અસર ઘટાડવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. તમામ રાજ્ય સરકારોએ ટીમ ઇન્ડિયા તરીકે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande