ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન કાલે ઝારખંડની મુલાકાત લેશે, બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપશે
નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.): ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, શનિવારે ઝારખંડની મુલાકાત લેશે. પદ સંભાળ્યા પછી રાજ્યની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે અને વહીવટી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ખુંટી જિલ્લાના
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન


નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.): ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, શનિવારે ઝારખંડની મુલાકાત લેશે. પદ સંભાળ્યા પછી રાજ્યની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે અને વહીવટી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ખુંટી જિલ્લાના ઉલીહાતુ ગામની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાન નેતા બિરસા મુંડાના જન્મસ્થળ પર શ્રદ્ધાંજલિ આપશે. તેઓ બિરસા મુંડાના પરિવાર અને વંશજોને પણ મળશે અને તેમની સાથે વાતચીત કરશે.

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ત્યારબાદ રાંચી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના 15મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેઓ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande