વેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાશે, ધો.૧૦ થી ગ્રેજ્યુએટ અને ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના ભાઈઓ-બહેનો ભાગ લઇ શકશે
ગીર સોમનાથ 5 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ રોજગાર કચેરી દ્વારા આગામી તા.૦૭/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. વેરાવળ ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અસેન્ટ ઈલેટ્રીફીકેશન એંજિ (નાયરા એનર્જી લી.
વેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાશે, ધો.૧૦ થી ગ્રેજ્યુએટ અને ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના ભાઈઓ-બહેનો ભાગ લઇ શકશે


ગીર સોમનાથ 5 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ રોજગાર કચેરી દ્વારા આગામી તા.૦૭/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. વેરાવળ ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં અસેન્ટ ઈલેટ્રીફીકેશન એંજિ (નાયરા એનર્જી લી. દેવભૂમિ દ્વારિકા), જામનગર દેવ એન્ટરપ્રાઇઝ- કચ્છ (BKT ભુજ) તેમજ મહાવીર એન્ટરપ્રાઈઝ રાજકોટ હાજર રહેવાના છે. વિવિધ લાયકાત અને અલગ-અલગ જગ્યાઓ માટે ધો.૧૦ થી ગ્રેજ્યુએટ સુધીના ભાઈઓ-બહેનો ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ઇન્ટરવ્યું યોજાશે. ઉમેદવારો આ ભરતી મેળામાં વધુમાં વધુ ભાગ તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande