
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ.). કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે છત્રપતિ શિવાજી મહારાજને તેમની અમિત શાહે, છત્રપતિ શિવાજી મહારાજને તેમની પુણ્યતિથિ પર નમન કર્યા. તેમણે કહ્યું કે, તેમનો અથાક સંઘર્ષ અને જીવનગાથા દેશવાસીઓને માતૃભૂમિ પ્રત્યે સમર્પિત થવા માટે હંમેશા પ્રેરણા આપશે.
શુક્રવારે એક્સ પર પોતાના સંદેશમાં અમિત શાહે કહ્યું, હું ભારતીય સ્વાભિમાનના અમર પ્રતીક અને રાષ્ટ્રીય ગૌરવના રક્ષક છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરું છું અને તેમના ચરણોમાં નમન કરું છું. તેમણે ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે લોકોને એક કર્યા અને હિન્દુ સ્વરાજની સ્થાપના કરી. સમુદ્રને નિયંત્રિત કરવાના મહત્વને ઓળખીને, તેમણે એક શક્તિશાળી નૌકાદળનું નિર્માણ કર્યું જે તેમની અનન્ય વ્યૂહાત્મક કુશળતા અને દૂરંદેશી નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમનું જીવન એક ઉદાહરણ છે કે, કેવી રીતે એક શાસક એક સાથે પોતાની સંસ્કૃતિ અને ભાષાનું રક્ષણ કરી શકે છે અને જન કલ્યાણના આદર્શો સ્થાપિત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ (1630-1680) એક કુશળ રણનીતિકાર અને દૂરંદેશી શાસક હતા જેમણે મુઘલો સામે સ્વરાજ સ્થાપિત કર્યું હતું. 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ પુણેના શિવનેરી કિલ્લામાં જન્મેલા છત્રપતિ શિવાજીએ ગેરિલા યુદ્ધ તકનીકોનો ઉપયોગ કરીને આદિલશાહી અને મુઘલ સૈન્યને હરાવ્યા હતા. તેઓ ઇતિહાસમાં એક મુખ્ય પ્રશાસક, માતૃભૂમિના રક્ષક અને અષ્ટપ્રધાન મંડળ દ્વારા હિન્દુ પદ પાદશાહી ના પ્રણેતા તરીકે અમર છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ