
નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકારે ટીવી ન્યૂઝ ચેનલોના
ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ (ટીઆરપી) ને વધુ ચાર અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
કટોકટીના સમયમાં અટકળો અને સનસનાટીભર્યા સમાચારોને નિયંત્રિત કરવા માટે આ પગલું
લેવામાં આવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ દરમિયાન
ખોટા અને કાલ્પનિક સમાચારોના પ્રસારણ બાદ, જાહેર ગભરાટને રોકવા માટે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ
કાઉન્સિલ (બીએઆરસી) ને આ નિર્દેશ
જારી કર્યો હતો.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું હતું
કે,” કેટલીક ન્યૂઝ ચેનલો યુદ્ધની પરિસ્થિતિને બિનજરૂરી રીતે સનસનાટીભર્યા બનાવી
રહી છે. આવી સામગ્રી સામાન્ય લોકોમાં, ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોના પરિવારોમાં
મૂંઝવણ અને ભય પેદા કરી શકે છે.”
આને ધ્યાનમાં રાખીને, સરકારે ટીવી ન્યૂઝ ચેનલો દ્વારા ટીઆરપી રિપોર્ટિંગ પર
ચાર અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, ચેનલોના
પ્રદર્શનનું સામાન્ય પ્રક્રિયા હેઠળ મૂલ્યાંકન કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે 6 માર્ચે, પશ્ચિમ એશિયાના
સંકટને ધ્યાનમાં રાખીને, સરકારે ચાર
અઠવાડિયા માટે ન્યૂઝ ચેનલો માટે ટીઆરપી મોનિટરિંગ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ