સંઘ પ્રમુખ ડૉ. ભાગવતે, વૃંદાવનમાં સંત મલુક દાસજી મહારાજની 452મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું
મથુરા, નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ડૉ. મોહન ભાગવતે, મંગળવારે વૃંદાવનના મલુક પીઠ આશ્રમમાં આયોજિત સંત મલુક દાસજી મહારાજની 452મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવીને કર્યું. તેમણે સંત શિરોમણી મલુક દાસ મહા
મોહન ભાગવતે સંત મલુક દાસજી મહારાજની 452મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવીને કર્યું.


મથુરા, નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ડૉ. મોહન ભાગવતે, મંગળવારે વૃંદાવનના મલુક પીઠ આશ્રમમાં આયોજિત સંત મલુક દાસજી મહારાજની 452મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવીને કર્યું. તેમણે સંત શિરોમણી મલુક દાસ મહારાજની સમાધિમાં પૂજા પણ કરી અને પોતાના કપાળ પર દિવ્ય ધૂપ લગાવી. તેમણે એકતાનો સંદેશ પણ આપ્યો.

માલુક પીઠ આશ્રમમાં પહોંચ્યા બાદ સંઘના વડા ડૉ. મોહન ભાગવતે મંચ પરથી સંતો સાથે વાત કરી, આ કાર્યક્રમને ખાસ ગણાવ્યો અને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રખ્યાત યોગ ગુરુ સ્વામી બાબા રામદેવ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તમામ સંતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ ધાર્મિક સમારોહમાં ગીતા મનીષી જ્ઞાનાનંદ મહારાજે, સંત શિરોમણી મલુકદાસ મહારાજના વ્યક્તિત્વ અને કાર્યો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંત શિરોમણી મલુકદાસ મહારાજ એક દિવ્ય સંત હતા. ગીતા મનીષી જ્ઞાનાનંદ મહારાજે, સંઘના વડાનું મલુકપીઠ આશ્રમની તેમની પ્રથમ મુલાકાત પર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મલુકપીઠાધીશ્વર આચાર્ય રાજેન્દ્રદાસ મહારાજે, સંઘના વડા ડૉ. ભાગવતને ઠાકુરજીની છબી અર્પણ કરી હતી.

મંગળવારે મલુકપીઠ પરિસરમાં ડૉ. ભાગવતના આગમનને આવકારવા માટે ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. આ કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, અને દરેક ખૂણા પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આજે સાંજે આ જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપશે. સ્થાનિક વહીવટીતંત્ર અને સંગઠનો તેમની મુલાકાત માટે સંપૂર્ણપણે સતર્ક છે.

ઉલ્લેખનીય છે કે, સંત મલુકદાસ જી મહારાજની 452મી જન્મજયંતિ 7 એપ્રિલ, 2026 ના રોજ વૃંદાવનના મલુકપીઠ (વંશીવત) ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં અષ્ટયમ લીલા, સમાધિ પૂજન અને ઉપસ્થિત અગ્રણી સંતો સાથે આધ્યાત્મિક ચર્ચાઓ કરવામાં આવશે. 30 માર્ચથી શરૂ થયેલા અને 8 એપ્રિલ સુધી ચાલુ રહેનારા આ કાર્યક્રમમાં દૈનિક ભક્તિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / શિવ સિંહ / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande