તળાજા એપીએમસી ખાતે રોડ સેફટી અભિયાન: 200 જેટલાં વાહનોમાં રેડિયમ લગાવી જાગૃતિ ફેલાવવામાં આવી
ભાવનગર, 04 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા APMC ખાતે માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ APMC ખાતે આવતા અંદાજિત 200 જેટલાં વાહનોમાં રેડિયમ સ્ટિકર લગાવવામાં આવ્યા હતા, જેથી ખાસ કરીને રાત્રિના
ભાવનગર


ભાવનગર, 04 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા APMC ખાતે માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ APMC ખાતે આવતા અંદાજિત 200 જેટલાં વાહનોમાં રેડિયમ સ્ટિકર લગાવવામાં આવ્યા હતા, જેથી ખાસ કરીને રાત્રિના સમયે વાહનો સ્પષ્ટપણે દેખાય અને અકસ્માતોની સંભાવના ઘટાડવામાં મદદ મળે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વાહન ચાલકોમાં રોડ સેફટી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ઘણીવાર અંધારામાં અથવા ધૂંધાળું વાતાવરણ હોય ત્યારે વાહનો દેખાતા નથી, જેના કારણે અકસ્માતો સર્જાય છે. રેડિયમ સ્ટિકર લગાવવાથી વાહન દૂરથી જ દેખાઈ શકે છે અને અન્ય વાહનચાલકો માટે પણ સાવચેત રહેવું સરળ બને છે.

અભિયાન દરમિયાન વાહનચાલકોને ‘રાહવીર’ (RAHVEER) યોજના અને ‘પ્રધાનમંત્રી રાહત’ (PM RAAHAT) જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. રાહવીર યોજના હેઠળ રસ્તા પર અકસ્માતગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે, જ્યારે PM RAAHAT યોજના હેઠળ અકસ્માતમાં ઘાયલ લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી દરેકની સંયુક્ત જવાબદારી છે અને નાના પ્રયત્નો દ્વારા પણ મોટા અકસ્માતોને અટકાવી શકાય છે. વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા તેમજ ઝડપ નિયંત્રિત રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આવો પ્રયાસ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને લોકોમાં જવાબદારીની ભાવના વિકસાવવામાં મદદરૂપ બને છે. તળાજા APMC ખાતે યોજાયેલ આ અભિયાનને સ્થાનિકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande