ઉપરાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ, નાગરિકોને 'નશા-મુક્ત ભારત' બનાવવાના તેમના સંકલ્પને નવીકરણ કરવા આગ્રહ કર્યો
નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નાગરિકોને ડ્રગના દુરુપયોગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ પર ''નશા-મુક્ત ભારત'' બનાવવાના તેમના સામૂહિક સંકલ્પને નવીકરણ કરવા આગ્રહ કર્યો. ઉપરાષ
સાંકેતિક


નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નાગરિકોને ડ્રગના દુરુપયોગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ પર 'નશા-મુક્ત ભારત' બનાવવાના તેમના સામૂહિક સંકલ્પને નવીકરણ કરવા આગ્રહ કર્યો.

ઉપરાષ્ટ્રપતિ એ કહ્યું કે, આવો આપણે નશીલી દવાઓનો દુરુપયોગ અને તસ્કરી ના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ પર ડ્રગ-મુક્ત ભારત' બનાવવાના આપણા સામૂહિક સંકલ્પનું નવીકરણ કરીએ. હું યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનોની પ્રશંસા કરું છું, જે આ અભિયાનને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના પ્રયાસો મજબૂત, સ્વસ્થ અને ડ્રગ-મુક્ત ભારત બનાવવા માટે અર્થપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ચાલો આપણે બધા સાથે મળીને જાગૃતિ ફેલાવીએ, વ્યસન છોડવાની પ્રક્રિયામાં રહેલા લોકોને ટેકો આપીએ અને આપણા યુવાનોને વ્યસન કરતાં આશા, આરોગ્ય અને જીવનમાં હેતુ પસંદ કરવા પ્રેરણા આપીએ.

અમિત શાહે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ડ્રગના દુરુપયોગના વૈશ્વિક પડકાર સામે સૌથી મજબૂત લડાઈ લડી છે. નાર્કો-કાર્ટેલ (આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો) ને મજબૂતીથી તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વ્યક્તિઓ સાથે યોગ્ય કાળજી અને કરુણા સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. આ દિવસ આપણી યુવા પેઢીને ડ્રગના દુરૂપયોગથી બચાવવાના આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande