
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 15 જુલાઈના રોજ જયપુરના પ્રવાસે જશે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર, આ યાત્રા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ‘વિધાયી ગૌરવ યાત્રા: પૂર્વ અને વર્તમાન સભ્યોનું સંમેલન’ના સમાપન સત્રમાં મુખ્ય અતિથિ હશે. આ સંમેલન રાજસ્થાન વિધાનસભાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉત્સવના એક ભાગ રૂપે આયોજિત કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ