
નવીદિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) આવકવેરા વિભાગે સ્થાવર મિલકત, સિક્યોરિટીઝ અને ઘરેણાંના વેચાણ પર થતા લાંબાગાળાના મૂડી લાભની ગણતરી માટે ચાલુ નાણાકીય વર્ષ 2૦26-27નો ખર્ચ ફુગાવા સૂચકાંક (સીઆઈઆઈ) વધારી દીધો છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ની અધિસૂચના અનુસાર, નાણાકીય વર્ષ 2૦26-27 માટે ખર્ચ ફુગાવા સૂચકાંક 384 નિર્ધારિત કરવામાં આવ્યો છે. પાછલા નાણાકીય વર્ષ 2૦25-26 માટે આ સૂચકાંક ૩૭૬ હતો. વિભાગ મુજબ, ખર્ચ ફુગાવા સૂચકાંક (સીઆઈઆઈ)ની અધિસૂચના આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળ દરેક નાણાકીય વર્ષ માટે બહાર પાડવામાં આવે છે. તેનો ઉપયોગ કોઈ મૂડીગત સંપત્તિના વેચાણ પર મૂડી લાભની ગણતરી કરતી વખતે ‘સૂચકાંકિત અધિગ્રહણ ખર્ચ’ (સૂચકાંકિત અધિગ્રહણ ખર્ચ) નિર્ધારિત કરવા માટે કરવામાં આવે છ
સામાન્ય રીતે, કોઈ સંપત્તિને ‘લાંબાગાળાની મૂડીગત સંપત્તિ’ની શ્રેણીમાં આવવા માટે, ૩૬ મહિનાથી વધુ સમય સુધી રાખવી જરૂરી હોય છે. જોકે, સ્થાવર મિલકત અને બિન-સૂચિબદ્ધ શેર માટે આ અવધિ ૨૪ મહિના તથા સૂચિબદ્ધ સિક્યોરિટીઝ માટે ૧૨ મહિના છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ