ઘણી પેઢીઓના આત્મબલિદાનથી મળેલી આઝાદી, વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ : દત્તાત્રેય હોસબોલે
કલકતા, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) સ્વતંત્રતા દિવસના અવસરે શનિવારે કોલકાતા સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય કેશવ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ સવારે લગભગ સાડા સાત વાગ્યે ધ્વજારોહણ કર્યું. આ અવ
ેોલુપ


કલકતા, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) સ્વતંત્રતા દિવસના અવસરે શનિવારે કોલકાતા સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય કેશવ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ સવારે લગભગ સાડા સાત વાગ્યે ધ્વજારોહણ કર્યું. આ અવસરે સંઘના સ્વયંસેવકોએ સામૂહિક રીતે વંદે માતરમ્નો ઉદ્ઘોષ કર્યો અને રાષ્ટ્રગાન પ્રસ્તુત કર્યું.

કાર્યક્રમમાં સંઘના પૂર્વ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંત રાય ચૌધરી, સહ સરકાર્યવાહ રામદત્ત ચક્રધર, પૂર્વ ક્ષેત્રના કાર્યવાહ દુર્ગા પ્રસાદ સાહુ અને પૂર્વ ક્ષેત્રીય સંપર્ક પ્રમુખ ડો. જિષ્ણુ બસુ સહિત સંઘના વિવિધ સ્તરોના પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા. રામમંદિર આંદોલનમાં બલિદાન આપનારા રામ-શરદ કોઠારી બંધુઓની બહેન પૂર્ણિમા કોઠારીની ઉપસ્થિતિ પણ કાર્યક્રમમાં રહી.

પોતાના સંબોધનમાં દત્તાત્રેય હોસબોલેએ સ્વતંત્રતા દિવસને કરોડો ભારતીયો માટે ગૌરવ અને પ્રેરણાનો દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે, દેશને સેંકડો વર્ષોની પરાધીનતામાંથી સ્વતંત્ર કરાવવા માટે પાછલી પેઢીઓએ લાંબા સંઘર્ષ અને અનેક બલિદાન આપ્યા. સ્વતંત્રતા ફક્ત એક ઉપલબ્ધિ નથી, પરંતુ તેને સુરક્ષિત અને મજબૂત બનાવી રાખવી એ વર્તમાન પેઢીની જવાબદારી પણ છે.

હોસબોલેએ કહ્યું કે, ભારતની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક વૈભવ અક્ષુણ્ણ જળવાઈ રહે, તે માટે પ્રત્યેક નાગરિકે સંકલ્પ લઈને કામ કરવું પડશે. તેમણે દેશની સાંસ્કૃતિક ઓળખ અને ગૌરવને સુરક્ષિત રાખવાની સાથે રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારીનું આહ્વાન કર્યું.

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત વિકસિત ભારતના લક્ષ્યનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિકસિત ભારત ફક્ત પ્રધાનમંત્રીનું સ્વપ્ન નથી, પરંતુ કરોડો ભારતીયોનું સહિયારું લક્ષ્ય હોવું જોઈએ. આ લક્ષ્યને હાંસલ કરવા માટે સમાજના પ્રત્યેક વર્ગને પોતાની ભૂમિકા નિભાવવી પડશે અને દેશના વિકાસ માટે સતત કામ કરવું પડશે.

સંઘ સરકાર્યવાહે કહ્યું કે, ભારત વિશ્વ પટલ પર વૈભવશાળી અને સામર્થ્યવાન રાષ્ટ્ર તરીકે ઉભરી આવે તથા સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા હાંસલ કરે, તે માટે સૌને મળીને પ્રયાસ કરવો પડશે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા દિવસ દેશની ઉપલબ્ધિઓને યાદ કરવાની સાથે ભવિષ્ય માટે સંકલ્પ લેવાનો પણ અવસર છે.

પોતાના સંબોધનમાં હોસબોલેએ સ્વતંત્રતા સંગ્રામના વીરો અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનારા બલિદાનીઓને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા. તેમણે કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવી રાખવી એ પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે. તેમણે ઋષિ અરવિંદની જયંતિના મહત્વનો પણ ઉલ્લેખ કરતા દેશ નિર્માણમાં પોતાની જવાબદારીઓનું નિર્વહન કરવાનું આહ્વાન કર્યું.

કાર્યક્રમના અંતમાં દત્તાત્રેય હોસબોલેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી અને તમામ ભારતીયોને એકજૂટ થઈને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, ભારતની નીતિ વસુધૈવ કુટુંબકમ્ની રહી છે અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે દેશ સંકલ્પબદ્ધ થાય, એ જ આ દિવસનું લક્ષ્ય હોવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande