અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર ‘સદૈવ અટલ’ પહોંચીને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠ
અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર ‘સદૈવ અટલ’ પહોંચીને રાષ્ટ્રપતિએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી


નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (રાજગ)ના નેતાઓએ તેમના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

શ્રદ્ધાંજલિ અર્પણ કરનારાઓમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, ભાજપ અધ્યક્ષ નિતિન નવીન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય નેતાઓ સામેલ હતા.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર અટલ બિહારી વાજપેયીને યાદ કરતા કહ્યું કે, રાજનેતા, કવિ અને દૂરંદેશી અટલજીએ પોતાનું જીવન ભારતની એકતા, ગરિમા અને વ્યૂહાત્મક હિતોને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું. રાષ્ટ્ર નિર્માણ, સર્વસમાવેશી નેતૃત્વ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. તેમણે કહ્યું કે, અટલજીનો અમર વારસો રાષ્ટ્ર માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અટલજી અસાધારણ દૂરંદેશી ધરાવતા વિલક્ષણ રાજનેતા હતા અને તેમણે પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું. તેમના વિચારો અને પ્રયાસો પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા અને તેમના નેતૃત્વએ દેશને સશક્ત બનાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સુશાસન અને જનકલ્યાણ પર અટલજીનો ભાર આજે પણ માર્ગદર્શન કરતો રહેશે.

ગૃહ મંત્રી અમિત શાહે અટલ બિહારી વાજપેયીને દેશભક્ત રાજનેતા ગણાવતા કહ્યું કે, તેમણે પોતાના જીવનની એક-એક ક્ષણ રાષ્ટ્રસેવા માટે સમર્પિત કરી દીધી. તેમણે કહ્યું કે, અટલજીએ પરમાણુ પરીક્ષણ અને કારગિલ યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો. વળી, તેમની મૂલ્ય આધારિત રાજનીતિએ અંત્યોદય અને સુશાસનની અવધારણાને જમીન પર ઉતારવાનું કામ કર્યું.

અમિત શાહે કહ્યું કે, અટલ બિહારી વાજપેયીનું વિરાટ વ્યક્તિત્વ અને નેતૃત્વ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાને રાષ્ટ્ર નિર્માણ માટે હંમેશા પ્રેરિત કરતું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande