જાફરાબાદ તાલુકા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ, પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ધારાસભ્ય હીરા સોલંકીની સૂચના
અમરેલી,04 ઓગસ્ટ (હિ.સ.) જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ સંબંધિત કર્મચારીઓ
જાફરાબાદ તાલુકા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ, પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સૂચના


અમરેલી,04 ઓગસ્ટ (હિ.સ.) જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તાલુકાના વિકાસલક્ષી કાર્યો, પ્રજાને પડતી સમસ્યાઓ તેમજ વિવિધ વિભાગોમાં લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

ધારાસભ્ય હીરા સોલંકીએ તમામ વિભાગના અધિકારીઓને પ્રજાના પ્રશ્નો પ્રાથમિકતાના ધોરણે સાંભળી તેમનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો સમયસર લાભ મળે તે માટે વિભાગો વચ્ચે સુમેળ જાળવી કામગીરી કરવી જરૂરી છે. વિકાસકાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી અથવા વિલંબ સહન કરવામાં આવશે નહીં તેમ પણ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું.

બેઠક દરમિયાન રસ્તા, પીવાનું પાણી, વીજ પુરવઠો, આરોગ્ય, શિક્ષણ, આવાસ યોજના તેમજ અન્ય જાહેર સુવિધાઓને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ પોતાના વિભાગોની કામગીરી અંગે માહિતી આપી હતી અને બાકી રહેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવાની ખાતરી વ્યક્ત કરી હતી. બેઠકનું આયોજન રચનાત્મક વાતાવરણમાં સંપન્ન થયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande