
પાટણ, 05 ઓગસ્ટ (હિ.સ.) : રાધનપુરના રવિધામ વિસ્તારમાં રમેશ ગોવિંદ મકવાણા નામના યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આત્મહત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
બનાવની જાણ થતાં રાધનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો જેથી મૃત્યુ અંગે વધુ વિગતો જાણી શકાય.
રાધનપુર પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ 194 હેઠળ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. યુવકે ગળેફાંસો ખાવા પાછળનું કારણ જાણવા માટે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચલાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ