
પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર
જિલ્લાના રાણાવાવ વિસ્તારમાં સામેથી બેફામ ગતિએ
આવી રહેલી ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત
સર્જાયો હતો. બનાવમાં કારને ભારે નુકસાન થયું
હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ
થઈ નથી. સમગ્ર મામલે ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ
પોરબંદરના ગાંધીપાર્ક
સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ખીમજીભાઈચાવડાની કાર (GJ-25-J-2629)ને ટ્રક નં. GJ-25-
T-7209ના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે હંકારી ટક્કર મારી હતી. અકસ્માતના કારણે કારના
બોનેટ, એન્જિન તેમજ સાઇડનો ભાગ ગંભીર રીતે
નુકસાનગ્રસ્ત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ
થઈ ન હતી, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે ફરિયાદના આધારે રાણાવાવ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya