પ્રધાનમંત્રી મોદીએ વિશ્વકર્મા જયંતિ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે ભગવાન વિશ્વકર્મા જયંતિના અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે નિર્માણ કાર્યોમાં જોડાયેલા દેશભરના શિલ્પકારો અને કૌશલ્યવાન લોકોનું વિશેષ અભિનંદન કરતાં કહ્યું કે, તેમનું કૌશલ્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે ભગવાન વિશ્વકર્મા જયંતિના અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે નિર્માણ કાર્યોમાં જોડાયેલા દેશભરના શિલ્પકારો અને કૌશલ્યવાન લોકોનું વિશેષ અભિનંદન કરતાં કહ્યું કે, તેમનું કૌશલ્ય અને પરિશ્રમ વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં અત્યંત મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા સાથે સંકળાયેલા આ દિવ્ય અવસરે નિર્માણ કાર્યોમાં જોડાયેલા દેશભરના શિલ્પકારો અને કૌશલ્યવાન સાથીઓને તેમનું વિશેષ અભિનંદન છે. તેમણે કહ્યું કે, શિલ્પકારોનું કૌશલ્ય અને પરિશ્રમ દેશના વિકાસ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રના નવનિર્માણની દિશામાં શિલ્પકારો અને કૌશલ્યવાન સાથીઓના પ્રયાસોને શક્ય તમામ પ્રોત્સાહન મળતું રહે, તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશ સાથે ભગવાન વિશ્વકર્માની મહિમાનું વર્ણન કરતું સુભાષિત પણ શેર કર્યું -

“अनादिरप्रमेयश्च अरूपश्च जयाजयः। लोकरूपो जगन्नाथः विश्वकर्मन्नमो नमः॥”

આ સુભાષિતનો અર્થ છે કે, ભગવાન વિશ્વકર્મા આદિ-અનાદિ, અસીમ અને અપ્રમેય છે. તેમનું કોઈ નિશ્ચિત રૂપ નથી અને તેઓ જય-પરાજયથી પર છે. તેઓ સંપૂર્ણ સંસારના સ્વરૂપ તથા જગતના સ્વામીના રૂપમાં વિદ્યમાન છે. આવા ભગવાન વિશ્વકર્માને વારંવાર નમન છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande