પાક વીમા યોજનામાં પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં બીજા ક્રમે, પ્રથમ તબક્કામાં 32 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી
કોલકાતા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા પછી 32 લાખ ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ નોંધણી કરાવી છે. આ આંકડો સાથે પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા
West Bengal ranks second in the country in the crop insurance scheme, 32 lakh farmers registered in the first phase


કોલકાતા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા પછી 32 લાખ ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ નોંધણી કરાવી છે. આ આંકડો સાથે પશ્ચિમ બંગાળ સમગ્ર દેશમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે, પાક વીમા યોજના માટે નોંધણીના પ્રથમ તબક્કામાં જ ખેડૂતો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં આવેલા પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 2026ની ખરિફની મોસમમાં ઝડપી પગલાં લેવામાં આવ્યા છે.

15 સપ્ટેમ્બર, 2026 સુધીમાં કુલ 32 લાખ ખેડૂતોને વ્યવસ્થિત પ્રક્રિયામાં આ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતોની નોંધણી અંગેના આંકડા પણ ખૂબ જ સકારાત્મક રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મેદિનીપુરમાં 7.23 લાખ, પશ્ચિમ મેદિનીપુરમાં 4.73 લાખ, હુગલીમાં 1.68 લાખ અને ઝારગ્રામમાં 42 હજાર ખેડૂતોએ સફળતાપૂર્વક નોંધણી કરાવી છે. ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી દરેક ગ્રામ પંચાયત સ્તરે વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી પૂરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને સીધા વીમા કવચ હેઠળ લાવવામાં આવે અને નુકસાનના વળતરનો માર્ગ મોકળો થાય.

ખેડૂતો પરનો નાણાકીય બોજ ઘટાડવા માટે રાજ્ય સરકાર તેના પોતાના બજેટમાંથી મોટા ભાગનું પ્રીમિયમ ઉપાડી રહી છે. નવા નિયમો અનુસાર, એક હેક્ટર (2.5 એકર) સુધીની ખેતીની જમીન ધરાવતા ખેડૂતોએ માત્ર એક રૂપિયાની પ્રતીકાત્મક રકમ ચૂકવવી પડશે. તે જ સમયે, એકથી બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોએ એકર દીઠ માત્ર સો રૂપિયા નોમિનલ ફી ચૂકવવી પડશે. વધુમાં, બાકીનું સંપૂર્ણ પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા સીધું ચૂકવવામાં આવશે.

સુવેન્દુએ કહ્યું કે વીમા કંપનીઓને વચગાળાના નુકસાનનું મૂલ્યાંકન તાત્કાલિક પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે જેથી ઓગસ્ટ 2026ના પૂરથી અસરગ્રસ્ત ખેડૂતો સુધી વળતર શક્ય તેટલી વહેલી તકે પહોંચી શકે.

વધુમાં, બેંકો દ્વારા લોન લેનારા ખેડૂતોની નોંધણી માટેની છેલ્લી સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે, જેનાથી નોંધણીની સંખ્યામાં વધુ વધારો થવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/સંતોષ માધુપ/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande