સ્કોટલેન્ડમાં ઝરણામાં ડૂબી જવાથી, બે ભારતીય વિદ્યાર્થીઓના મોત
લંડન, નવી દિલ્હી, 20 એપ્રિલ (હિં.સ.) સ્કોટલેન્ડમાં ઝરણામાં ડૂબી જવાથી, ભારતના બે વિદ્યાર્થીઓના મોત થ
સ્કોટલેન્ડમાં ઝરણામાં ડૂબી જવાથી, બે ભારતીય વિદ્યાર્થીઓના મોત


લંડન, નવી દિલ્હી, 20 એપ્રિલ (હિં.સ.) સ્કોટલેન્ડમાં ઝરણામાં ડૂબી જવાથી, ભારતના બે વિદ્યાર્થીઓના મોત થયા છે. આ વિદ્યાર્થીઓ બ્રિટનની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.

સ્કોટલેન્ડ પોલીસે હજુ સુધી, આ બે વિદ્યાર્થીઓના નામ જાહેર કર્યા નથી. જો કે, માહિતી સામે આવી છે કે, બંને આંધ્રપ્રદેશના છે અને તેમની ઉંમર 20 વર્ષ અને 26 વર્ષ જણાવવામાં આવી છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ આજે શુક્રવારે થવાનું છે. આ ઘટના બુધવારે રાત્રે, પર્થશાયરના બ્લેર ઓફ એથોલ નજીક ટુમેલના લિનમાં બની હતી. મિત્રોનું ટોળું અહીં ફરવા આવ્યું હતું. આ દરમિયાન તેમાંથી બે જણા પાણીમાં, પડી ગયા હતા. તેમના મિત્રોએ પછી કટોકટી સેવાઓ માટે એલાર્મ વગાડ્યું, ત્યારબાદ સ્કોટિશ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે બચાવ પ્રયાસોમાં મદદ કરવા બોટ ટીમો અને જહાજો મોકલ્યા. બચાવ માટે ઈમરજન્સી સર્વિસ ટીમે, વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પાણીમાંથી બે લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સમગ્ર સંજોગો જાણવા માટે તપાસ ચાલુ છે.

જો કે, ઘટના સ્થળે કે આસપાસ કોઈ શંકાસ્પદ સંજોગો જોવા મળ્યા ન હતા. લંડનમાં ભારતીય હાઈ કમિશને કહ્યું કે,’ આંધ્રપ્રદેશના બે વિદ્યાર્થીઓ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ડૂબી ગયા.’ એડિનબર્ગમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ તેમના પરિવારના સંપર્કમાં છે અને કોન્સ્યુલર ઓફિસર પણ યુકે સ્થિત એક વિદ્યાર્થીના સંબંધીને મળ્યા છે. હાઈ કમિશન તરફથી, એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,’ પોસ્ટમોર્ટમ 19 એપ્રિલે હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે અને ત્યારબાદ મૃતદેહોને, ભારત પરત મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.’

હિન્દુસ્થાન સમાચાર / અજિત તિવારી / પ્રભાત / ડો હિતેશ


 rajesh pande