કૈટ એ, કરવા ચોથ પર દેશવ્યાપી ₹25,000 કરોડનો વ્યવસાય કરવાનો અંદાજ મૂક્યો
નવી દિલ્હી, 9 ઓક્ટોબર (હિ.સ.): કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ, કરવા ચોથ પર દેશવ્યાપી ₹25,000 કરોડનો વ્યવસાય કરવાનો અંદાજ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દિવાળી સુધી દેશભરમાં ઉત્સવનું વાતાવરણ રહે છે. કરવા ચોથ આપણને સંદેશ આપે છે કે સાચ
કરવા ચોથ


નવી દિલ્હી, 9 ઓક્ટોબર (હિ.સ.): કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ, કરવા ચોથ પર દેશવ્યાપી ₹25,000 કરોડનો વ્યવસાય કરવાનો અંદાજ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દિવાળી સુધી દેશભરમાં ઉત્સવનું વાતાવરણ રહે છે. કરવા ચોથ આપણને સંદેશ આપે છે કે સાચો પ્રેમ ફક્ત બલિદાનમાં જ નહીં, પરંતુ સમાનતા અને પરસ્પર આદરમાં પણ રહેલો છે. જ્યારે પતિ-પત્ની બંને એકબીજાના કલ્યાણ માટે ઉપવાસ કરે છે ત્યારે જ આ તહેવાર તેના સાચા અને શ્રેષ્ઠ સ્વરૂપમાં ઉજવી શકાય છે.

ગુરુવારે, ચાંદની ચોકના સાંસદ અને કૈટ ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે દેશભરના લોકોને, ખાસ કરીને ઉદ્યોગપતિઓને, તેમની પત્નીઓના સન્માનમાં કરવા ચોથનું ઉપવાસ રાખવા અપીલ કરી. તેમણે કહ્યું કે તેઓ પોતે વીસ વર્ષથી વધુ સમયથી કરવા ચોથનું ઉપવાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જેમ સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે, તેવી જ રીતે પુરુષોએ પણ તેમની પત્નીઓના સ્વાસ્થ્ય, દીર્ધાયુષ્ય અને સુખાકારી માટે ઉપવાસ કરવો જોઈએ.

કૈટ ના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 10 ઓક્ટોબરે કરવા ચોથના મુખ્ય તહેવારને ધ્યાનમાં રાખીને, વેપારીઓએ દિલ્હી અને રાષ્ટ્રીય બજારોમાં વ્યાપક તૈયારીઓ કરી છે. કરવા ચોથની મુખ્ય વસ્તુઓમાં પૂજા થાળી, રોલી અને ચોખા રાખવા માટે નાના બાઉલ, ચંદ્રને પાણી અર્પણ કરવા માટે લોટા અથવા ગ્લાસ અને મહિલાઓ માટે ચંદ્ર જોવા માટે ચાળણીનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ સોના, ચાંદી, પિત્તળ, સ્ટેનલેસ સ્ટીલ અથવા કાંસાની બનેલી છે. ભારતમાં બનેલી આ વસ્તુઓનો ઉપયોગ દેશભરમાં કરવામાં આવશે, જ્યારે અગાઉ આ વસ્તુઓ મોટાભાગે ચીનમાં બનતી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande