ફુગાવાના આંકડા અને વૈશ્વિક વલણો, શેરબજારની દિશા નક્કી કરશે
નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.). વિશ્લેષકો માને છે કે, આ અઠવાડિયે શેરબજારની દિશા જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબ્લ્યુપીઆઈ) આધારિત જથ્થાબંધ ફુગાવાના આંકડા, વિદેશી રોકાણકારોની ભાવના અને વૈશ્વિક સંકેતો દ્વારા નક્કી કરવામાં આવશે. શેરબજારના નિષ્ણાતોએ રવિવારે
પ્રતીકાત્મક -શેરબજાર લોગો


નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.). વિશ્લેષકો માને છે કે, આ અઠવાડિયે શેરબજારની દિશા જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબ્લ્યુપીઆઈ) આધારિત જથ્થાબંધ ફુગાવાના આંકડા, વિદેશી રોકાણકારોની ભાવના અને વૈશ્વિક સંકેતો દ્વારા નક્કી કરવામાં આવશે.

શેરબજારના નિષ્ણાતોએ રવિવારે જણાવ્યું હતું કે, રોકાણકારો અમેરિકન ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવ સામે ભારતીય રૂપિયાની ગતિવિધિ પર પણ નજર રાખશે. ગયા અઠવાડિયે શેરબજારમાં વધઘટ જોવા મળી હતી અને તે નકારાત્મક ઝોનમાં બંધ થયો હતો.

હકીકતમાં, ગયા અઠવાડિયે બીએસઈ સેન્સેક્સ 444.71 પોઈન્ટ એટલેકે 0.51 ટકા ઘટ્યો હતો.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ભારતના નવેમ્બર મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા આ અઠવાડિયે જાહેર કરવામાં આવશે, જેના પર રોકાણકારો નજીકથી નજર રાખશે. નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 0.71 ટકા થયો. વધુમાં, યુએસ, યુરોઝોન અને અન્યત્ર ફુગાવાના આંકડા પર પણ નજીકથી નજર રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવાર, 12 ડિસેમ્બરે, સ્થાનિક શેરબજાર સતત બીજા દિવસે વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ 449.53 પોઈન્ટ એટલેકે 0.53 ટકા વધીને 85,267.66 પર બંધ થયો, અને નિફ્ટી 148.40 પોઈન્ટ એટલેકે 0.57 ટકા વધીને 26,046.95 પર બંધ થયો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande