મુંબઈ, નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ટૂંક સમયમાં
ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટ બહાર પાડશે. રિઝર્વ બેંક દ્વારા અગાઉ જારી
કરાયેલી, તમામ 100 અને 200 રૂપિયાની નોટો
કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં આરબીઆઈએ જણાવ્યું હતું
કે,” તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટો
બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 100 અને 200 રૂપિયાની નોટો
જેવી જ છે. એમ રિઝર્વ બેંકે જણાવ્યું.
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, “અગાઉ જારી
કરાયેલી તમામ 100 અને 200 રૂપિયાની નોટો
કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે.”
નોંધનીય છે કે, સંજય મલ્હોત્રા ડિસેમ્બર 2024 માં શક્તિકાંત
દાસની જગ્યાએ આરબીઆઈ ગવર્નરનો
કાર્યભાર સંભાળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ