નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.) આસામમાં સ્થાઈ બાયોટેકનોલોજી ઇકોસિસ્ટમને
પ્રોત્સાહન આપતા ઉચ્ચ-પ્રદર્શન બાયોપ્રોડક્શનને વેગ આપવાના લક્ષ્ય સાથે, બાયોટેકનોલોજી
વિભાગ (ડીબીટી) અને રાજ્ય સરકારે
બાયો 3 (અર્થતંત્ર, પર્યાવરણ અને
રોજગાર) નીતિ હેઠળ એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર (એમઓયું) પર હસ્તાક્ષર
કર્યા છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે આ સમજૂતી કરાર પર
હસ્તાક્ષરને ડીબીટીઅને આસામ સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યાપક પરામર્શ, ઉચ્ચ-સ્તરીય
બેઠકો અને સહયોગી પ્રયાસોનું પરાકાષ્ઠા ગણાવ્યું.
ગયા વર્ષે 24 ઓગસ્ટના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે બાયો ઈ-3 નીતિને મંજૂરી
આપી હતી.જેનો ઉદ્દેશ્ય
ભારતને બાયો-આધારિત નવીનતાઓમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો હતો. આ નીતિ
વિવિધ વિષયોના ક્ષેત્રોમાં સ્થાઈ બાયોમેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકે છે. નવી
દિલ્હીમાં ડીબીટીમુખ્યાલય ખાતે આ
સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમય દરમિયાન ડીબીટી સચિવ ડૉ. રાજેશ એસ. ગોખલે, આસામ સરકારના
મુખ્ય સચિવ ડૉ. રવિ કોટા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ