વડાપ્રધાન મોદીને, મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન એનાયત કરાયું
નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.) મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલે બુધવારે, રાજધાની પોર્ટ લુઇસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન' થી
નમો


નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.) મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલે

બુધવારે, રાજધાની પોર્ટ લુઇસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક

સન્માન 'ધ ગ્રાન્ડ

કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન' થી સન્માનિત

કર્યા. પ્રધાનમંત્રી મોદીને મળેલો આ 21મો આંતરરાષ્ટ્રીય સન્માન છે. અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા

ભાવ સાથે એવોર્ડ સ્વીકારીને, પ્રધાનમંત્રીએ આ એવોર્ડ તેમના પૂર્વજો અને સદીઓ પહેલા

ભારતથી મોરેશિયસ આવેલા તેમની બધી પેઢીઓને સમર્પિત કર્યા.

મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન, આદરણીય

પ્રધાનમંત્રીએ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું કે,” આ ફક્ત તેમના માટે જ

નહીં પરંતુ 1.4 અબજ ભારતીયો માટે સન્માનની વાત છે. આ ભારત અને મોરેશિયસ વચ્ચેના

સદીઓ જૂના, સાંસ્કૃતિક અને ઐતિહાસિક બંધનોને સન્માન છે.”

પ્રધાનમંત્રીએ ભારત-મોરેશિયસ વ્યૂહાત્મક ભાગીદારીને નવી

ઊંચાઈઓ પર લઈ જવા માટે તમામ પ્રયાસો ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ

પુનરોચ્ચાર કર્યો.

મોરેશિયસના વડાપ્રધાન નવીન ચંદ્ર રામગુલામે, ગઈકાલે એક

સમુદાય કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન મોદીને તેમના દેશના સર્વોચ્ચ

સન્માનથી નવાજવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે,” વડાપ્રધાન મોદી જ આ સન્માનના ખરા

હકદાર છે.”

આ જ કાર્યક્રમમાં, ભારત સરકાર વતી, પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ અને તેમના પત્ની મીનાને 'ઓવરસીઝ સિટીઝન ઓફ

ઈન્ડિયા' (ઓસીઆઈ)કાર્ડ પ્રદાન કર્યા.

આ કાર્ડ ભારતમાં અવરજવર માટે વિઝા સુવિધા પૂરી પાડે છે અને ભારતીય મૂળના વિદેશી

નાગરિકોને જારી કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande