કાશ્મીરમા થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં, દાહોદમાં પાકિસ્તાનનું પૂતળું ફૂંકાયું
રેલી કાઢી સુત્રોચ્ચાર કરી આપ્યું આવેદન
પાકિસ્તાનનું પૂતળું ફૂકાયું તે તસ્વીર


દાહોદ, 25 એપ્રિલ (હિ.સ.) જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં હિન્દુઓ પર જે આતંકવાદી હુમલો થયો હતો, જેના વિરોધમાં દાહોદના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને તેના વિરોધમાં પાકિસ્તાન નું પુતળા દહન કર્યું હતું. જે રેલી નીકળી અને પ્રાંત ઓફિસ પહોંચી હતી જ્યાં દાહોદ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું

કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર ઇસ્લામિક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં હિન્દુઓને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું અને તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. જેના કારણે દાહોદનો સમગ્ર હિન્દુ સમાજ રોશે ભરાયેલો છે, અને ત્યાર બાદ આના વિરોધમાં દાહોદ નગરપાલિકા થી માણેક ચોક થઈને એક વિશાલ રેલી કાઢવામાં આવી હતી અને પૂતળા દહન કરવામાં આવ્યું હતું પછી પ્રાંત કચેરી માં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને સમાપન કરવામાં આવી હતી

આ વિરોધ નોંધાવવા માટે, દાહોદ શહેરના તમામ ધાર્મિક, રાજકીય સંગઠનો, તમામ મંડળો, સમિતિઓ, તમામ હિન્દુ સમાજ, ભાઈઓ, બહેનો, દરેક વ્યક્તિએ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande