છત્તીસગઢના બીજાપુરમાં પાંચ દિવસથી અથડામણ ચાલુ, રાત્રે 10 વાગ્યા સુધી ભારે ગોળીબાર અને વિસ્ફોટ
- આજે સવારથી વાયુસેનાના ચાર હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યા છે બીજાપુર, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.). છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ઉસુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોટાપલ્લી ગામના કર્રેગુટ્ટાના કાલી પહારીમાં સતત પાંચ દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્
નક્સલી અથડામણ


- આજે સવારથી વાયુસેનાના ચાર હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યા છે

બીજાપુર, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.). છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ઉસુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોટાપલ્લી ગામના કર્રેગુટ્ટાના કાલી પહારીમાં સતત પાંચ દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધી ત્યાં ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા. આજે સવારથી વાયુસેનાના ચાર હેલિકોપ્ટર ત્યાં ઉડાન ભરી રહ્યા છે. આ દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું નક્સલ વિરોધી ઓપરેશન છે, જેમાં 10 થી 15 હજાર સૈનિકોએ કાલી પહારી વિસ્તારમાં મોટા કેડર નક્સલવાદી નેતાઓને ઘેરી લીધા છે. સુરક્ષા દળો હવે નક્સલવાદ સામે છેલ્લી લડાઈ લડી રહ્યા છે.

નક્સલવાદીઓનો ખાત્મો કરવા માટે સુરક્ષા દળો સતત પાંચમા દિવસે બીજાપુરના જંગલોમાં તૈનાત છે. દરમિયાન, ગલગામના જંગલમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રેશર ઈઆઈઈડી ની ઝપેટમાં ડીઆરજી નો એક સૈનિક આવ્યો. આઈઈડી બ્લાસ્ટમાં જવાનને પગમાં ગંભીર ઈજા થઈ છે. ગલગામ સીઆરપીએફ કેમ્પમાં પ્રાથમિક સારવાર બાદ ઘાયલ જવાનને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા બીજાપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આઈઈડી થી ઘાયલ થયેલા જવાનના ફોટા મળી આવ્યા છે પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સ્થાનિક પત્રકારો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 7 વાગ્યાથી વાયુસેનાના 4 હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યા છે. આકાશમાં હેલિકોપ્ટરની આ સતત ગતિવિધિથી કોઈ મોટી અપડેટ આવવાની શક્યતા છે. તે જ સમયે, ઉસુર બસ્તીના ગ્રામજનોએ ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધી ભારે ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટના અવાજો સાંભળ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ તેમને કોઈપણ પ્રકારની માહિતી કે વીડિયો શેર કરવાથી રોક્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં હાઇ એલર્ટ જારી કર્યું છે.

નક્સલવાદીઓ સામેના સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનમાં, ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે લડાઈ સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે. કર્રેગુટ્ટા પર્વત નીચે સ્થિત ગામોમાં બપોરનું તાપમાન 42 થી 44 ડિગ્રી આસપાસ હોય છે. પર્વતની ઊંચાઈ પર, ખડક ગરમ થયા પછી તાપમાન વધુ વધે છે. લગભગ 4 થી 5 હજાર ફૂટ ઉપર શિખર પર બેઠેલા નક્સલીઓ સુધી પહોંચવા માટે ફોર્સ છેલ્લા ચાર દિવસથી પગપાળા ચાલી રહી છે. આ વિસ્તાર છત્તીસગઢ અને તેલંગાણા રાજ્ય તેમજ મહારાષ્ટ્રની સરહદે પણ આવેલો છે. આખો વિસ્તાર ગાઢ જંગલથી ઘેરાયેલો છે, મધ્યમાં કસ્તુરીપાડ ગામ, એક તરફ કર્રેગુટ્ટા ટેકરી અને આ ટેકરી પર અથડામણ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સતત પાંચ દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ઘણા વધુ નક્સલીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે. સુરક્ષા દળોના ડ્રોનમાં મૃતદેહોની તસવીરો પણ કેદ થઈ છે, જોકે પોલીસે તેમના મૃતદેહ મેળવ્યા નથી. આના એક દિવસ પહેલા, 6 નક્સલીઓ માર્યા ગયા હોવાના સમાચાર હતા, જેમાંથી 3 ગણવેશધારી મહિલા નક્સલીઓના મૃતદેહ સુરક્ષા દળો દ્વારા મળી આવ્યા છે. ચેરલાના સ્થાનિક યુવક વિનોદ કહે છે કે હું મોટરસાઇકલ દ્વારા આ વિસ્તારમાં આવ્યો હતો. શનિવારે બપોરે લગભગ 20 મિનિટમાં સીરીયલ આઈઈડી બ્લાસ્ટ થયા હતા, વિસ્ફોટ એટલો જોરદાર હતો, કે તેનો અવાજ હજુ પણ મારા કાનમાં ગુંજતો રહે છે.

હિન્દુસ્થાન સમાચાર/રાકેશ પાંડે/ચંદ્ર નારાયણ શુક્લ/રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande