શ્રીનગર, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.). કાશ્મીર ખીણમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ આનો જોરદાર જવાબ આપ્યો. શ્રીનગર સ્થિત એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 25-26 એપ્રિલની રાત્રે, કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સૈન્યની ઘણી ચોકીઓએ, કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સૈન્યના જવાનોએ પણ યોગ્ય કાર્યવાહી કરીને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ગોળીબારમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ